વિશ્વની સૌથી ઇનોવેટિવ કંપનીઓની યાદીમાં તાતા ગ્રુપ 20મા ક્રમે પહોંચી

વિશ્વની સૌથી ઇનોવેટિવ કંપનીઓની યાદીમાં તાતા ગ્રુપ 20મા ક્રમે પહોંચી

દેશના સૌથી મોટા ઔદ્યોગિક ગૃહોમાંના એક તાતા ગ્રુપે એક વિશેષ દરજ્જો હાંસલ કર્યો છે. વિશ્વની સૌથી ઇનોવેટિવ 50 કંપનીઓની યાદીમાં તાતા ગ્રૂપને 20મું સ્થાન મળ્યું છે. આ યાદીમાં અન્ય કોઈ ભારતીય કંપનીને સ્થાન મળ્યું નથી. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ દ્વારા ઇનોવેટિવ કંપનીઓ 2023ની યાદી બહાર પાડવામાં આવી હતી.

આ યાદીમાં કંપનીઓને તેમની કામગીરી, કટોકટી સહન કરવાની તેમની ક્ષમતા અને નવીનતા જેવા માપદંડોના આધારે સ્થાન આપવામાં આવ્યું છે. ટાટા ગ્રુપે 2045 સુધીમાં નેટ-ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય નક્કી કર્યું છે. યુએસ કંપની એપલ પહેલા સ્થાન પર છે, જ્યારે ઈલોન મસ્કની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લાને બીજું સ્થાન મળ્યું છે. ટેસ્લાની સ્થિતિમાં ગત વખતની સરખામણીએ ત્રણ સ્થાનનો સુધારો થયો છે. અમેરિકાની અગ્રણી ઈ-કોમર્સ કંપની એમેઝોન ઈનોવેટિવ રેન્કિંગમાં ત્રીજા નંબરે છે. ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટને ચોથો નંબર મળ્યો છે.

જેકમાની અલીબાબા પાછળ રહી, નેસ્લે આગળ આવી
નેસ્લેની સ્થિતિમાં 22 સ્થાનનો સુધારો થયો છે અને તે 27માં સ્થાને છે. બીજી તરફ આવકની દ્રષ્ટિએ વિશ્વની સૌથી મોટી કંપની વોલમાર્ટ 32 સ્થાન નીચે આવીને 44મા ક્રમે પહોંચી છે. એ જ રીતે ચીનની જેક માની કંપની અલીબાબાની સ્થિતિમાં પણ 22 સ્થાનનો ઘટાડો થયો છે. સાઉદી અરેબિયાની દિગ્ગજ કંપની સાઉદી અરામ્કો આ યાદીમાં 41મા નંબરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow