'તારક મહેતા...' ના ટપ્પુએ પણ છોડ્યો શૉ: ખુદ પોસ્ટ કરીને જુઓ શું કહ્યું, ફેન્સને લાગશે ઝટકો

'તારક મહેતા...' ના ટપ્પુએ પણ છોડ્યો શૉ: ખુદ પોસ્ટ કરીને જુઓ શું કહ્યું, ફેન્સને લાગશે ઝટકો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક એવો શો છે જે છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રની પોતાની ફેન ફોલોઈંગ છે. જો કે છેલ્લા કેટલાક સમયથી ઘણા ફેમસ સ્ટાર્સે શો છોડી દીધો છે. હવે આ લિસ્ટમાં શોના મુખ્ય અભિનેતા ટપ્પુ એટલે કે રાજ અનાડકટ નું નામ પણ જોડાઈ ગયું છે.

રાજ અનાડકટે શોને અલવિદા કહી દીધું છે
થોડા સમયથી એવી વાતો ચાલી રહી હતી કે ટપ્પુ એટલે કે રાજ અનાડકટ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડવા જઈ રહ્યો છે. પરંતુ તેણે હંમેશા આવા સમાચારોને અફવા ગણાવીને ટાળ્યા હતા. હવે જ્યારે તેણે શો છોડ્યો ત્યારે તેણે પોતે જ એક પોસ્ટ દ્વારા તેના ચાહકોને જાણ કરી અને લખ્યું, 'હેલો એવરી વન હવે સમય આવી ગયો છે કે હું દરેક ખબરો અને વાત પર વિરામ લગાવી દઉ અને કહ્યું કે હવું હું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોથી અલગ થઈ રહ્યો છું'.

તમામ લોકોનો માન્યો આભાર
રાજે આગળ લખ્યું, 'મારો કોન્ટ્રાક્ટ ઓફિશ્યલ રીતે નીલા ફિલ્મ્સ અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે સમાપ્ત થાય છે. આ એક સારી સફર હતી જેમાં મને ઘણું શીખવા મળ્યું. હું એ તમામ લોકોનો આભાર માનું છું જેમણે મને આ પ્રવાસમાં સાથ આપ્યો.

રાજે કહ્યું કે તારક મહેતાની આખી ટીમ, મારા દોસ્ત અને પરિવાર તથા તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તમારા બધાનો પ્રેમ મને ખૂબ પ્રેરણા આપે છે,હું જલ્દી પાછો આવીશ, તમારા સૌનું મનોરંજન કરવા માટે, તમારો પ્રેમ અને સપોર્ટ બનાવીને રાખો.

નોંધનીય છે કે આ સિરિયલમાં પહેલા ભવ્ય ગાંધી સ ટપ્પુના રોલમાં હતો જે બાદ રાજ આવ્યો, હવે ફરી એક વાર આ શૉમાં નવા ટપ્પુ માટે શોધ ચાલુ છે. રાજે શૉ છોડવા પાછળ કોઈ મોટું કારણ તો જણાવ્યું નથી, પણ માનવામાં આવી રહ્યું છે કે કરિયરમાં ગ્રોથ માટે આ નિર્ણય લીધો હોય શકે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow