T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચની મોમેન્ટ્સ

T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચની મોમેન્ટ્સ

ઇંગ્લેન્ડ T20 વર્લ્ડ કપ 2022નું ચેમ્પિયન બની ગયું છે. રવિવારે મેલબોર્નમાં રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. ટૉસ જીતીને ઇંગ્લેન્ડે પાકિસ્તાનને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટે 137 રન બનાવ્યા હતા. 138 રનના ટાર્ગેટનો ચેઝ કરતા ઇંગ્લેન્ડે 18.5 ઓવરમાં જ આ ટાર્ગેટ પાર પાડી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધુ 52 રનની ઇનિંગ રમી હતી.

ઇંગ્લેન્ડની ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે T20 કપની ફાઈનલમાં જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. તેણે પાકિસ્તાન સામે ફાઈનલમાં 49 બોલમાં 52 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તો 2019ના વન-ડે વર્લ્ડ કપમાં પણ તેણે ન્યૂઝીલેન્ડ સામે 98 બોલમાં 84* રનની વિજયી ઇનિંગ રમી હતી. તો સુપર ઓવરમાં પણ 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. આમ તેણે હવે ઇંગ્લેન્ડની ટીમને બન્ને વર્લ્ડ કપ જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

શાહિન શાહ આફ્રિદી શાદાબ ખાનની બોલિંગમાં હેરી બ્રૂકનો કેચ લેતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. લોંગ ઓન પર કેચ લેતી વખતે તેનો પગ લપસી ગયો હતો. તે દર્દથી રડતો જોવા મળ્યો હતો. ફિઝિયો પણ પાકિસ્તાની ડ્રેસિંગ રૂમમાંથી મેદાન પર આવ્યો હતો. તેણે શાહિનને તપાસ્યો હતો. આ દરમિયાન મેચ થોડા સમય માટે રોકી દેવામાં આવી હતી.

ફિઝિયોએ જોયું કે શાહિન બરાબર ચાલી શકતો નથી. જેના કારણે તેને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. આ સમય સુધીમાં શાહિને મેચમાં 2 ઓવર નાંખી હતી. તેણે એલેક્સ હેલ્સની મહત્વની વિકેટ પણ લીધી હતી. આ પછી આફ્રિદી 15મી ઓવરમાં મેદાનમાં પરત ફર્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow