T20 વર્લ્ડ કપમાં વિરાટ-રોહિત X-Factor રહેશે

T20 વર્લ્ડ કપમાં વિરાટ-રોહિત X-Factor રહેશે

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે કરશે. ભારતને સુપર-12માં પાકિસ્તાન ઉપરાંત ચાર અન્ય ટીમ સામે પણ રમવાનું છે. આજે આ સ્ટોરીમાં આપણે જાણીશું કે આપણી ટીમના મેચ ક્યા-ક્યા ગ્રાઉન્ડ પર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખરાખરીનો જંગ જોવા મળશે. આ ગ્રાઉન્ડમાં ભારતનો વન-ડે અને T20 ઈન્ટરનેશનલમાં શું રેકોર્ડ છે, તે તમે નીચે આપેલા ગ્રાફિક્સમાં જોઈ શકો છો. ભારતે મેલબોર્નમાં પાકિસ્તાન સામે એકપણ T20 મેચ રમી નથી, પરંતુ વન-ડેમાં આ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન ટીમની સામે આપણી ટીમનો 100% સક્સેસ રેટ છે.

આ ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડેમાં બે મુકાબલા થયેલા છે. જેમાં બન્ને વન-ડેમાં ભારતનો વિજય થયો છે. આ બન્ને મેચ 1985માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ ક્રિકેટની અંડરમાં રમાઈ ગઈ હતી. પહેલી મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. આ પછી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.

ભારતે અહીં ચાર T20 ઈન્ટરનેશનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી છે. જેમાં બેમાં જીત મળી છે, તો એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અને એક મુકાબલો અનિર્ણિત રહી હતી.

મેલબોર્નમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલીએ બનાવ્યા છે. તેણે આ ગ્રાઉન્ડમાં ત્રણ મેચમાં 1 હાફ સેન્ચુરીની મદદથી 90 રન બનાવ્યા છે. રોહિત શર્માએ ચાર મેચમાં 68 રન, જ્યારે દિનેશ કાર્તિકે બે મેચમાં 8 રન બનાવ્યા છે.

આ ત્રણ સિવાય ભારતની હાલની ટીમનો કોઈ પણ સભ્ય અહીં એકપણ T20 મેચ રમ્યો નથી. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ આ ગ્રાઉન્ડમાં બે-બે મેચમાં 3-3 વિકેટ ઝડપી છે. ત્યારે આ બન્ને પ્લેયર્સ ઈજા પહોંચવાના કારણે આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow