સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

સ્વ. વિજયભાઈની તસવીરો જોઈને પુત્રવધૂ રડી પડી

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આજે (2 ઓગસ્ટ) 69મો જન્મદિવસ છે. આજથી બે દિવસ માટે રાજકોટની શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલરી ખાતે તેમની અનદેખી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે, જેને નિહાળવા માટે આજે સ્વ. વિજયભાઈ રૂપાણીનાં પત્ની અંજલિબેન, પુત્ર ઋષભ, પુત્રવધૂ પહોંચ્યાં હતાં. અહીં વિજયભાઈની હસ્તી અને અલગ અંદાજ સાથેની તસવીરોને જોઈને પરિવારજનોનું હૈયું ભરાઈ ગયું હતું, જેમાં પુત્રવધૂ રડી પડી હતી. તો સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આ તસવીરો નિહાળી તેમના વ્યક્તિત્વને યાદ કરી સ્વ.વિજયભાઈના અભિવ્યક્તિને વ્યક્ત કરવા માટેનું તસવીર પ્રદર્શન હોવાનું જણાવ્યું હતું.

રાજકોટના સિનિયર ફોટો-જર્નલિસ્ટ દેવેન અમરેલિયા દ્વારા વર્ષ 2004થી 2025 દરમિયાન સ્વ. વિજયભાઈના જીવનની જાણી-અજાણી, ચિત-પરિચિત, સુલભ-દુર્લભ ક્ષણોની અવિસ્મરણીય તસવીરો પોતાના કેમેરામાં કંડારવામાં આવી હતી, જે પૈકી 111 તસવીરનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ દરેક તસવીરની નીચે એક લાઈનમાં ટેગલાઈન પણ આપવામાં આવી હતી. વિજયભાઈ રૂપાણીની આ તસવીર પ્રદર્શનમાં રૂપાણી પરિવારની હાજરી ભાવસભર બની ગઈ હતી. વિજયભાઈની અલગ-અલગ અંદાજ સાથેની તસવીરો જોઈને પરિવારના સભ્યો ભાવુક થયા હતા. તસવીર પ્રદર્શનમાં સંવેદના-સંવાદે પણ 'તસવીરોને સંગાથ' જોવા મળ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow