સૂર્ય પૂજાનું મહાપર્વ

સૂર્ય પૂજાનું મહાપર્વ

સૂર્યનો આભાર પ્રકટ કરવા માટે લોકો પ્રાચીન સમયથી જ સૂર્ય પૂજા કરતા આવી રહ્યા છે. વેદોમાં પણ સૂર્યને પ્રમુખ દેવતા કહેવામાં આવ્યાં છે. છઠ્ઠ દેવીને ભગવાન બ્રહ્માની માનસપુત્રી પણ કહેવામાં આવે છે. જે લોકોને સંતાન આપે છે અને બધા સંતાનોની રક્ષા કરે છે.

સૂર્ય છઠ્ઠ વર્ષમાં બે વાર આવે છે. પહેલું ચૈત્ર અને બીજું કારતક મહિનામાં. જેમાં કારતકનું છઠ્ઠ પર્વ ખૂબ જ ખાસ છે. આસો મહિનાની અમાસના દિવસે દિવાળી પછી તરત આવતાં આ ચાર દિવસોના વ્રતની સૌથી મુશ્કેલ અને મહત્ત્વપૂર્ણ રાત કારતક સુદ છઠ્ઠ હોય છે. આ જ કારણે તેને છઠ્ઠ વ્રત કહેવામાં આવે છે.

બધા જ પર્વમાં ખાસ

સૂર્યને કૃષિનો આધાર માનવામાં આવે છે, કેમ કે સૂર્ય વાતાવરણમાં પરિવર્તન લાવે છે. સૂર્યના કારણે જ વાદળ જળ વરસાવવામાં સક્ષમ બને છે. સૂર્ય અનાજને પકવે છે. એટલે સૂર્યનો આભાર પ્રકટ કરવા માટે પ્રાચીન કાળથી લોકો પૂજા કરતા આવી રહ્યા છે.

વેદોમાં પણ સૂર્યને સૌથી મુખ્ય દેવતા તરીકે માન્યતા પ્રાપ્ત છે. જ્યોતિષ ગણના પ્રમાણે આ ઘટના આસો અને ફાગણ મહિનાની અમાસના છ દિવસ પછી આવે છે.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં છઠ્ઠ દેવીનો ઉલ્લેખ

બ્રહ્મવૈવર્ત પુરાણના પ્રકૃતિખંડમાં સૃષ્ટિની અધિષ્ઠાત્રી પ્રકૃતિ દેવીના એક ખાસ અંશને દેવસેના કહેવામાં આવે છે. પ્રકૃતિનું છઠ્ઠુ અંશ હોવાના કારણે આ દેવનું એક પ્રચલિત નામ ષષ્ઠી છે. પુરાણો પ્રમાણે, આ દેવી બધા સંતાનોની રક્ષા કરે છે અને તેમને લાંબી ઉંમર આપે છે. જેને સ્થાનિક ભાષામાં છઠ્ઠ મૈયા કહેવામાં આવે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow