પ્રેસિડેન્ટ બોલ્સોનારો હાર્યા તો સમર્થકોએ પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કર્યો

પ્રેસિડેન્ટ બોલ્સોનારો હાર્યા તો સમર્થકોએ પોલીસ હેડક્વાર્ટર પર હુમલો કર્યો

લેટિન અમેરિકાના સૌથી મોટા દેશ બ્રાઝિલમાં પોલીસ અને હાલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોના સમર્થકોની વચ્ચે ઝપાઝપી થઇ ગઇ. સમર્થક પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા. અહીં લૂલા ડા સિલ્વાની જીતનો વિરોધ કરી રહેલા બોલ્સોનારોના સમર્થકોએ કેટલીક ગાડીઓને આગના હવાલે કરી દીધી. પોલીસે પ્રદર્શનકારીઓને કંટ્રોલ કરવા ટીયરગેસના સેલ છોડ્યા.

હકીકતમાં ઓક્ટોબરમાં થયેલા પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં લૂલા ડી સાલ્વાએ હાલના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારોને આશરે 21 લાખ 39 હજાર વોટોથી હરાવી દીધા. જાયર બોલ્સોનારો પહેલાં જ ચોખવટ કરી ચૂક્યા છે કે જો તેઓ ચૂંટણી હારી જશે તો અમેરિકના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો રસ્તો અપનાવશે અને પરિણામોને કબૂલ નહીં કરે.

સોશિયલ મીડિયા પર હિંસાના વીડિયો વાઇરલ થઇ રહ્યા છે. જર્નાલિસ્ટ એલન રિયોસે એક વીડિયો શેર કરતા લખ્યું કે રાજધાની બ્રાઝિલિયા વોરઝોનની જેમ દેખાઇ રહ્યો છે. અહીં ગાડીઓમાં આગ લગાડવામાં આવી છે. કેટલીક બિલ્ડિંગોમાં તોડફોડ કરવામાં આવી છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર, પ્રદર્શનકારીઓએ પીળા રંગની ટી-શર્ટ પહેરેલી હતી. આને બોલ્સોનારોની પાર્ટીના સમર્થકના સિમ્બોલના રૂપે જોવામાં આવે છે.

કેટલાક લોકલ રિપોર્ટરે તેમના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. તેમાં જોઇ શકાય છે કે પ્રદર્શનકારીઓએ એક ચાલતી બસમાં આગ લગાડી દીધી. જોકે આ વાતની જાણકારી નથી કે બસમાં કેટલા લોકો હાજર હતા અને કેટલા લોકો અત્યાર સુધીમાં ઘાયલ થયા છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow