સુનક બ્રિટનની આર્થિક સ્થિતિ સુધારે

સુનક બ્રિટનની આર્થિક સ્થિતિ સુધારે

બ્રિટન અને ભારત માટે ઐતિહાસિક તક છે. પહેલીવાર ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનના વડાપ્રધાન તરીકે પદ સંભાળ્યું છે. આશા અને પડકારોની લાંબી યાદી સુનક સામે છે. બ્રિટનમાં રહેતા ભારતીય મૂળના લોકો માને છે કે સુનક સામે સૌથી મોટો પડકાર બ્રિટનની આર્થિક સ્થિતિ સુધારવાનો છે. બ્રિટનમાં લોકો મોંઘવારીથી અકળાયા છે.

ભારતીય મૂળના લોકો કહે છે કે સુનકે લિઝ ટ્રસ સાથેના પીએમ પદના મુકાબલા દરમિયાન જે પ્લાન રજૂ કર્યો હતો તેને લાગુ કરવામાં આવે. સાથે જ ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ(એફટીએ) લાગુ કરવામાં આવે.બ્રિટનના બ્રિસ્ટલ શહેરમાં રેસ્ટોરાં ચલાવતા સિદ્ધાર્થ શર્મા સુનકની ઈમિગ્રેશન પોલિસીને સમર્થન નથી આપતા. સિદ્ધાર્થ કહે છે કે બ્રિટનમાં આવતા પરિવાર ઈમિગ્રેશન પોલિસીને કારણે આજે શ્રેષ્ઠ સ્થિતિમાં પહોંચી રહ્યા છે.

ભારતીયોના બ્રિટનમાં આગમનનો માર્ગ સરળ બનાવવો જોઇએ. સિદ્ધાર્થ અનુસાર સુનક બ્રિટનમાં રહેતા મોટાભાગના ભારતીય મૂળના લોકોથી વધારે સારા આર્થિક બેકગ્રાઉન્ડથી આવે છે. તે પ્રાડાના શૂઝ પહેરે છે અને ફ્રી માર્કેટનું સમર્થન કરે છે.

નવી દિલ્હીથી બ્રિટન ગયેલા એક આઈટી એક્સપર્ટ કહે છે કે જો સામાન્ય પ્રજાએ વોટિંગ કર્યું હોત તો સુનક બ્રિટનના વડાપ્રધાન ન બની શક્યા હોત. તેમણે રેડિયો ટૉક શૉ પર એક કોલરને એમ કહેતા સાંભળ્યું કે જ્યારે બ્રિટનમાં મોટાભાગના લોકો શ્વેત છે તો સુનક કેવી રીતે વડાપ્રધાન બની શકે છે. સાથે જ એવી પણ આશા વ્યક્ત કરે છે કે સુનક પ્રોપર્ટી માર્કેટ અને અર્થતંત્ર પર કામ કરશે. તે કહે છે કે સુનકના માર્ગમાં અનેક પડકારો છે. તેમને એમપીનો સાથ નહીં મળે તો કોઈ પણ પોલિસી પર કામ આગળ નહીં વધારી શકે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow