વિદ્યાર્થીઓ હોલટિકિટ, શૂઝ, હાથ-પગ, નખ અને રૂમાલમાં ઘરેથી જવાબો લખી આવે છે!

વિદ્યાર્થીઓ હોલટિકિટ, શૂઝ, હાથ-પગ, નખ અને રૂમાલમાં ઘરેથી જવાબો લખી આવે છે!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તારીખ 28 ડિસેમ્બરથી બે દિવસ EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠક મળવાની છે જેમાં જુદી જુદી રીતે પરીક્ષા દરમિયાન ચોરી કરત પકડાયેલા 95 વિદ્યાર્થીનું હિયરિંગ કરાશે અને તેમને સજા ફટકારવામાં આવશે, પરંતુ મહત્ત્વની બાબત એ છે કે પરીક્ષા દરમિયાન ચોરી કરવામાં વિદ્યાર્થીઓએ નવી નવી ટ્રિક અજમાવામાં આગળ છે જ્યારે આ ટ્રિકને પકડી પાડવામાં સુપરવાઈઝર, ઓબ્ઝર્વર કે સ્ક્વોડ હજુ પાછળ હોવાની સ્થિતિ સર્જાઈ છે.

એકબાજુ જ્યાં પરીક્ષા પહેલા ચેકિંગ દરમિયાન કેન્દ્રનો સ્ટાફ વિદ્યાર્થીઓ પાસે માત્ર મોબાઈલ છે કે કેમ, ચિઠ્ઠી છે, પુસ્તક છે કે કેમ તેવું જ તપાસી રહ્યા હોય છે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષાની જ હોલટિકિટ, રાઈટિંગ પેડ, શૂઝમાંથી જવાબો લખીને આવે છે અને પરીક્ષામાં ચતુરાઈથી જોઈ જોઈને લખે છે. જ્યારે વિદ્યાર્થીનીઓ પોતાના હાથ, પગ, નખ અને રૂમાલ તેમજ કપડામાં પણ જવાબો લખીને આવીને પરીક્ષા દરમિયાન ચોરી કરી રહ્યા હોય છે.

પરીક્ષામાં ચતુરાઈથી જોઈ જોઈને લખે
પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા કુલ 95માંથી 35 વિદ્યાર્થી માઈક્રો ઝેરોક્ષ કરીને સાહિત્ય લાવેલા પકડાયા હતા જ્યારે 25 વિદ્યાર્થી હસ્ત લિખિત કાપલીઓ સાથે પકડાયા હતા. આ તમામનું 28મીથી બે દિવસ હિયરિંગ કર્યા બાદ સજા ફટકારાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow