વડોદરાની MS યુનિવર્સિટીની ડિસિપ્લિનરી કમિટી સમક્ષ આજે વિદ્યાર્થીઓ હાજર ન થયા

વડોદરાની MS યુનિવર્સિટીની ડિસિપ્લિનરી કમિટી સમક્ષ આજે વિદ્યાર્થીઓ હાજર ન થયા

વડોદરાની MS યુનિવર્સિટની બોય્સ હોસ્ટેલના MM હોલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયા બાદ ત્રણેય વિદ્યાર્થીઓને કમિટી સમક્ષ હાજર થવાનો પત્ર લખવામાં આવ્યો હતો. જો કે, આજે એકપણ વિદ્યાર્થી ડિસિપ્લિનરી કમિટી સમક્ષ હાજર થયો નહોતો. જેથી હવે વિદ્યાર્થીઓને 21 ઓગસ્ટે જાહેર થવા માટે નોટિસ આપવામાં આવશે.

દારૂની મહેફિલનો વીડિયો વાઈરલ થયો હતો
વડોદરાની MS યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલના MM હોલમાં 15 ઓગસ્ટે દારૂની પાર્ટી કરતા 3 વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ કમિટીએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી અને આજે ચીફ વોર્ડનની ઓફિસ ખાતે કમિટીની મિટીંગ મળી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓને હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે, એકપણ વિદ્યાર્થી આજે કમિટી સમક્ષ હાજર થયો નહોતો. જેથી, કમિટી સમક્ષ હાજર થવા માટે ફરીથી તારીખ નક્કી કરવામાં આવી હતી.

એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ મામલે ડિસિપ્લિનરી કમિટીના કન્વિનર હરિ કટારીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આજે કમિટી સમક્ષ ઉપસ્થિત રહેવા માટેનો પત્ર લખ્યો હતો. જો કે, આજે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા નથી. જેથી આપણે કોઇ નિર્ણય ન કરી શકીએ. જેથી ફરી વિદ્યાર્થીઓને 21 ઓગસ્ટના બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સામે હજી સુધી કોઇ એક્શન લેવામાં આવ્યા નથી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow