બાયડના પુંજાપુરમાં કિશોરની હત્યાની અદાવતમાં લગ્ન પ્રસંગમાં પથ્થરમારો

બાયડના પુંજાપુરમાં કિશોરની હત્યાની અદાવતમાં લગ્ન પ્રસંગમાં પથ્થરમારો

બાયડ તાલુકાના વસાદરા ગામ પાસે આવેલ પુંજાપુર ગામે સોમવારના રોજ લગ્ન પ્રસંગમાં ભારે તોફાન થઈ ગયું છે. આજ ગામમાં થોડા સમય પહેલાં એક કિશોરની હત્યાને લઈ મૃતક પરિવાર તથા આરોપી પરિવાર લગ્ન પ્રસંગમાં સામસામે આવી જઈ પથ્થર મારો કરી તોફાન મચાવતાં હલચલ મચી ગઈ છે.વસાદરા ગામ પાસે આવેલા પુંજાપુર ગામે 2021ના નવેમ્બર મહિનામાં ગામના સચિન પગી નામના કિશોરની હત્યા થઈ હતી. આ હત્યા પ્રકરણમાં કૌટુંબિક કિશોરની ધરપકડ પણ થઈ હતી.

લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે પથ્થરમારા સાથે લાકડીઓ ઊછળી
​​​​​​​બે વર્ષ વીત્યા બાદ સોમવારના રોજ બપોરના સુમારે આરોપી કિશોરના સગામાં લગ્ન હોય વરઘોડો નીકળ્યો હતો. ત્યારે સામેથી આવતી મૃતક કિશોરના સગાની ગાડી વચ્ચે આવતાં ગાડી હટાવવાને લઈ પહેલાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ બોલા ચાલી ઉગ્ર સ્વરૂપમાં પરિણમી હતી. જોત જોતામાં મામલો મારામારી ઉપર આવી જઈ લગ્ન પ્રસંગમાં બે જૂથ વચ્ચે પથ્થરમારા સાથે લાકડીઓ ઊછળી હતી.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow