અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ

અફઘાનિસ્તાનમાં ભૂખમરાની સ્થિતિ

અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ વણસી છે. ભૂખમરાની એવી પરિસ્થિતિ છે કે લોકો પોતાના છોકરાઓને ઊંઘની ગોળી આપીને સુવડાવે છે. કેટલાક લોકો ખાવા માટે પોતાની દીકરી અને કિડની પણ વેચી રહ્યા છે. આનું કારણ તાલિબાન સરકાર પોતાના જ લોકોની અવગણના કરી રહ્યું છે. ગયા વર્ષે કબજો કર્યા પછી વિદેશી મદદ નથી મળી.

અફઘાનિસ્તાનના ત્રીજા સૌથી મોટા શહેર હેરાતની બહાર માટીના ઘરોમાં હજારો લોકો જીવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. અહીં રહેતા અબ્દુલ વહાબ કહે છે કે મહિનામાં મોટા ભાગના દિવસોમાં પરિવાર એક સમયનું જમવાનું પણ મેનેજ કરી શકતો નથી. અમારા બાળકો ભૂખથી રડે છે અને રાત્રે સૂઈ શકતા નથી. આ કારણોસર, તે ફાર્મસીમાંથી ઊંઘની દવા લાવે છે. ત્યાં રહેતા લગભગ મોટાભાગના લોકો આવું કરે છે.

એક અન્ય વ્યક્તિ ગુલાન હઝરતનું કહેવું છે કે, તેઓ મજબૂરીમાં પોતાના એક વર્ષના બાળકને પણ ઊંઘની ગોળી આપે છે. બીજી તરફ ડોક્ટરોનું કહેવું છે કે, ડિપ્રેશનના ઈલાજમાં આ ગોળીઓને દર્દીઓને સુવડાવવા માટે ઉપયોગ કરે છે, તેના નિયમિત ઉપયોગની મંજૂરી નથી આપી શકતા.

ક્યારેક જ આ ગોળીના ઉપયોગને મંજૂરી આપવામાં આવે છે. આનું કારણ એ છે કે વધુ પડતા ઉપયોગથી લિવર ખરાબ થઈ શકે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow