બહુમાળીમાં સ્ટેમ્પ વેન્ડરો પાસે મંજૂરી નથી છતાં દબાણ

બહુમાળીમાં સ્ટેમ્પ વેન્ડરો પાસે મંજૂરી નથી છતાં દબાણ

બહુમાળીમાં ફોર્મ ભરવા આવતા અરજદારો પાસેથી કહેવાતા સ્ટેમ્પ વેન્ડરો સોગંદનામા કરવાના નામે મનફાવે તેવો 300થી 500 સુધીનો ચાર્જ ઉઘરાવી લૂંટી રહ્યા છે. વધુ ચાર્જ ઉઘરાવતા આ શખ્સો મંજૂરી વિના વર્ષોથી દબાણ કરીને પણ બેઠા છે. બહુમાળીના ગ્રાઉન્ડ ફ્લોર પર 20 વર્ષથી સોગંદનામું કરતા રાજેશ રાવલ અને 5 વર્ષથી રીના જોશી મંજૂરી વિના પોતાની દુકાન ચલાવી રહ્યા છે.

સરકારી અધિકારીઓ દ્વારા નાની જગ્યાના દબાણો હટાવવાની કાર્યવાહી ઝડપથી થતી હોય છે, જ્યારે અહીં કેટલાય સરકારી અધિકારીઓ બેસતા હોવા છતાં આજ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષોથી બેસતા બન્ને શખ્સને માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ચાર નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લી નોટિસ 5-12-2022માં ઇસ્યૂ કરવામાં આવી હતી. જોકે વિભાગ માત્ર નોટિસ પાઠવી સંતોષ માની રહ્યું છે.

નોટિસમાં મંજૂરી વિના બેસતા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ
જિલ્લા વસવાટ ફાળવણી સમિતિ અને કલેક્ટર કચેરી દ્વારા નક્કી થયા મુજબ સ્ટેમ્પ પેપર વેચવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. જેથી બહુમાળીની બહાર બેસવાનું રહે છે. જો જગ્યા પર બેસવાની મંજૂરી હોય તો આધાર-પુરાવા કે પરવાનગી વિભાગીય કચેરીમાં રજૂ કરવા અથવા તાકીદે જગ્યા ખાલી કરવી. નહીં તો આગળની કાર્યવાહી હાથ ધરાશે.

એક વર્ષથી આવ્યો હોવાથી માહિતી નથી: ઇન્ચાર્જ કાર્યપાલક
માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર નિખિલ ખાંટે જણાવ્યું હતું કે, મંજૂરી આપવા માટેની પ્રક્રિયા લાંબી અને અમુક વિભાગો-કચેરીઓની મંજૂરી બાદ પૂર્ણ થતી હોય છે. જ્યારે ઇન્ચાર્જ કાર્યપાલક રવિ જાવિયાએ કહ્યું હતું કે, સરકારી હુકમમાં બહુમાળીની અંદર બેસવું કે બહાર તેનો ઉલ્લેખ નથી. હું એક વર્ષથી આવ્યો છું વધુ માહિતી નથી.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow