ગોંડલ, જૂનાગઢ સહિતના ટૂંકા રૂટ પર હવે ST ઇલેક્ટ્રિક બસ દોડાવશે

ગોંડલ, જૂનાગઢ સહિતના ટૂંકા રૂટ પર હવે ST ઇલેક્ટ્રિક બસ દોડાવશે

એસ.ટી નિગમમાં પહેલા ડીઝલ યુગ, પછી સીએનજી અને હાલ ફરી ડીઝલથી ચાલતી બસ દોડી રહી છે પરંતુ આગામી સમયમાં એસ.ટીમાં ઇલેક્ટ્રિક યુગ આવશે એવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે કારણ કે તાજેતરમાં જ રાજકોટથી મોરબી અને રાજકોટથી જામનગર રૂટ ઉપર એસ.ટી નિગમે ઇલેક્ટ્રિક બસ શરૂ કર્યા બાદ હવે રાજકોટ ડિવિઝનના ટૂંકા રૂટ ઉપર મોટા ભાગે ઇલેક્ટ્રિક બસ જ દોડાવવામાં આવશે તેવું નિગમના અધિકારીઓ જણાવી રહ્યા છે.

જેમ જેમ ડિવિઝનમાં નવી ઇલેક્ટ્રિક બસ આવશે તેમ તેમ અન્ય ટૂંકા રૂટ જેવા કે રાજકોટથી ગોંડલ, જૂનાગઢ ઉપર નવી બસ દોડાવવામાં આવશે.હાલ રાજકોટથી જામનગર રૂટ પર 10 જેટલી નવી ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે જેનું ભાડું રૂ.126 રખાયું છે. એવી જ રીતે મોરબી રૂટ ઉપર પણ 5 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે.

આ બસમાં મોરબી-રાજકોટ વચ્ચે રૂપિયા 90 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. હજુ આગામી દિવસોમાં એસ.ટી નિગમમાં નવી 50 જેટલી ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે. એસ.ટી નિગમમાં અમદાવાદ-ગાંધીનગર, કૃષ્ણનગર-વડોદરા રૂટ પર પણ ઇલેક્ટ્રિક એસ.ટી બસ દોડાવવામાં આવી રહી છે. હવે ધીમે ધીમે ઈલેક્ટ્રિક બસના વપરાશ તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યા છે.

હાલમાં રાજકોટ ખાતે એક જ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ હોય બસના રૂટ ઓછા રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરી ટ્રિપની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં એકવખતના ચાર્જિંગ બાદ આ ઇલેક્ટ્રિક બસ 180 કિલોમીટર સુધી દોડાવી શકાય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow