મોરબી, દ્વારકા રૂટની ST બસ રૈયા રોડથી જશે, રૂ.6 સુધીનો ભાડા વધારો

મોરબી, દ્વારકા રૂટની ST બસ રૈયા રોડથી જશે, રૂ.6 સુધીનો ભાડા વધારો

શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલની મરમ્મતને લઈને હાલમાં ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે ત્યારે આ રૂટ ઉપરથી પસાર થતી મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા રૂટની એસ.ટી બસ હવે રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ થઇને જે-તે રૂટ પર જશે. રૂટ બદલવાથી એસ.ટી. બસને ચાર કિલોમીટર ફરીને શહેરની બહાર નીકળવું પડશે.

કિલોમીટર વધી જવાને કારણે એસ.ટી. તંત્રએ આ જુદી જુદી રૂટની બસના ભાડામાં પણ રૂ. 6 સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટથી આ રૂટ ઉપર દરરોજ અંદાજિત 70થી વધુ બસને આ બદલાયેલો રૂટ અસર કરશે તેમ એસ.ટી. નિગમ રાજકોટના વિભાગીય નિયામકે જણાવ્યું હતું. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ મુજબ વ્યવસ્થા રહેશે.

આમ્રપાલી બ્રિજ, રૈયા ચોકડી, અયોધ્યા ચોકથી બસ દોડશે
સાંઢિયા પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવતા એસ.ટી.ની રાજકોટથી મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા જતી એસ.ટી. બસ હવે બસપોર્ટથી ત્રિકોણબાગ, મહિલા કોલેજ ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ, હનુમાનમઢી ચોક, રૈયા ચોકડી, શીતલ પાર્ક, અયોધ્યા ચોક, માધાપર ચોકડી થઇને મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા રૂટ ઉપર જશે.

મહિલા કોલેજ અને રૈયા ચોકડીએ એસ.ટી. ઊભી રહેશે
જામનગર રોડ પરના સાંઢિયા પુલ પર ભારે વાહનોને પ્રવેશ બંધ કરવામાં આવતા એસ.ટી. બસ હવે શહેરના રૂટ પરથી થઇને મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા જશે. નવા રૂટમાં પણ યાત્રિકોને માટે બે સ્ટોપ રાખવામાં આવ્યા છે જેમાં મહિલા કોલેજ ચોક અને રૈયા ચોકડીએ એસ.ટી. બસ ઊભી રહેશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow