શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું

શ્રીલંકાએ બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું

ડિફેન્ડિંગ ચેમ્પિયન શ્રીલંકાએ એશિયા કપ-2023ની જીત સાથે શરૂઆત કરી છે. ટીમે ગ્રુપ બીની પોતાની પ્રથમ મેચમાં બાંગ્લાદેશને 5 વિકેટે હરાવ્યું હતું. ટીમે 9 વર્ષ બાદ વન-ડે એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવ્યું છે. શ્રીલંકાની છેલ્લી જીત 2014માં મીરપુર મેદાનમાં મળી હતી.

બાંગ્લાદેશે શ્રીલંકાને 165 રનનો ટાર્ગેટ આપ્યો છે. જવાબમાં શ્રીલંકાએ 39 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ચરિથ અસલંકા અને સાદિરા સમરવિક્રમાએ અડધી સદીની ઇનિંગ્સ રમી હતી.

સમરવિક્રમાની ચોથી ફિફ્ટી
સમરવિક્રમાએ વનડે કરિયરની ચોથી ફિફ્ટી ફટકારી હતી. તેણે 54 રનની ઇનિંગ રમી હતી. સમરવિક્રમાએ તેની 77 બોલની ઇનિંગ્સમાં 70.13ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા સામેલ હતા.

સમરવિક્રમા-અસલંકાની ભાગીદારી
165 રનના નાના લક્ષ્યનો પીછો કરવા આવેલી શ્રીલંકાની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ટીમના ઓપનર 15 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફર્યા હતા. ટીમે 43 રનમાં ત્રીજી વિકેટ પણ ગુમાવી હતી. અહીંથી સાદિરા સમરવિક્રમા અને ચારિથ અસલંકાએ શ્રીલંકાના દાવને સંભાળ્યો હતો. બંનેએ ચોથી વિકેટ માટે પચાસની ભાગીદારી કરી હતી. સમરવિક્રમાએ પણ 60 બોલમાં 50 રન બનાવ્યા હતા.

શાંતોની ફિફ્ટી, બાંગ્લાદેશ 164 પર ઓલઆઉટ
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 42.4 ઓવરમાં 164 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશના નજમુલ હુસેન શાંતોએ 89 રનની ઇનિંગ રમી હતી. બાકીના બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow