ચીનમાં પૂરથી શહેરોને બચાવવા માટે સ્પન્જ સિટી નિષ્ફળ!

ચીનમાં પૂરથી શહેરોને બચાવવા માટે સ્પન્જ સિટી નિષ્ફળ!

ચીનનાં અનેક શહેરોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હજારો મકાનો ધરાશાયી થયાં છે. આવી સ્થિતિમાં ચીનના પૂર વિરોધી સ્પન્જ સિટી મોડલ પર સવાલો ઊઠી રહ્યા છે . ચીનનાં મોટાં શહેરોમાં પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોનો સામનો કરવા માટે સ્પન્જ સિટી મોડલ વિકસાવાયું હતું. વધુ વસ્તી ધરાવતાં શહેરોમાં પૂર અથવા દુષ્કાળની વધુ સંભાવના હોય છે.

કારણ કે ભારે બાંધકામને કારણે જમીનની પાણી શોષવાની ક્ષમતા ઘટી જાય છે. જ્યારે કોઈ શહેર બનાવવામાં આવે છે, ત્યારે વૃક્ષો કાપવામાં આવે છે અને મેદાનની જમીનને કોંક્રિટથી આવરી લેવામાં આવે છે. જેના કારણે પાણી જમીનની અંદર પહોંચતું નથી. આવી સ્થિતિમાં વરસાદ પડતાં પૂરનું જોખમ વધી જાય છે.આ સમસ્યાના ઉકેલ માટે ચીને સ્પન્જ સિટી બનાવી એટલે કે તે શહેર જે પાણીને શોષી શકે છે. 2015 અને 2016માં પાઈલટ પ્રોજેક્ટ માટે કુલ 30 શહેરોની પસંદગી કરવામાં આવી હતી. ત્યાં વૃક્ષો વાવવામાં આવ્યાં, નહેરો અને તળાવો બનાવવામાં આવ્યાં. જેથી વધારાનું પાણી એકઠું થવાની જગ્યા ન મળે.

એવી અપેક્ષા હતી કે આનાથી પૂર અને દુષ્કાળ બંનેનું જોખમ ઘટશે પરંતુ સ્થિતિ વિપરીત જોવા મળી છે. જુલાઈમાં પૂર અને સંબંધિત આફતોને કારણે 142 લોકો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા. આ સિવાય 2,300 મકાનો ધરાશાયી થયાં છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow