સોનું ખરીદતા પહેલા જરૂર વાંચો

સોનું ખરીદતા પહેલા જરૂર વાંચો

સોનાની કિંમતોમાં ઘટાડા પાછળ એક મોટું કારણ મોંઘવારી માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સોનાની ડિમાન્ડ ઘટી શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો મોટા પ્રમાણમાં આ સિઝનમાં જ્વેલરી ખરીદતા હોય છે.

જો તમે સોનું ખરીદવાનો (Gold Buy)મૂડ બનાવી રહ્યા હોય તો તમારે હમણાં થોડી રાહ જોવી જોઇએ. જોકે પાછલા કેટલાક મહિનાઓથી સોનાના ભાવ એક જ કક્ષામાં ફરી રહ્યો છે. ઓગસ્ટ-2020માં સોનું 56000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઊંચાઇએ હતો. ત્યાર બાદ સોનામાં ભાવમાં મંદી આવી, તેમાંથી આજ સુધી બહાર નથી આવી શક્યા.

સોનાની કિંમતમાં ઘટાડાનું અનુમાન
હકીકતમાં ગ્લોબલ મંદી (Global Recession)ને કારણે આગળ પણ સોનાની કિંમતોમાં ઘટાડો (Gold Price Fall)નું અનુમાન છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના અનુસાર ભારતમાં ઓક્ટોબરથી ડિસેમ્બરની વચ્ચે સોનાની ખપતમાં પાછલાના વર્ષની તુલનાએ લગભગ એક ચતુર્થાંશ ઘટાડો આવી શકે છે.

ભાવ ઘટવાનું મોટું કારણ મોંઘવારી
તહેવારોની સિઝનમાં (Festive Season)વેચાણમાં વધારો જરૂર થયો, પરંતુ જેટલી ધારણા હતી એમાં સફળતા ન મળી. સોનાની કિંમતોમાં ઘટાડાનું મોટું કારણ મોંઘવારી માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સોનાની ડિમાન્ડ ઓછી થઇ શકે છે. ગ્રામીણ વિસ્તારોમાં લોકો મોટા પ્રમાણમાં આ સિઝનમાં જ્વેલરી ખરીદે છે.

જણાવી દઇએ કે ભારત દુનિયામાં સૌથી વધુ સોનાની ખપતવાળા દેશોમાં બીજા સ્થાને છે. પ્રથમ સ્થાને ચીન છે. એક્સપર્ટનું માનીએ તો ડિમાન્ડ ઘટવાને કારણે કિંમતો પર અસર પડી શકે છે, જે બે વર્ષથી વધુ સમયમાં પોતાના સૌથી નીચલા સ્તરની નજીક કારોબાર કરી રહ્યા છે.

એસોસિયેશનની વેબસાઇટ અનુસાર 01 નવેમ્બરના શરાફા બજારમાં સોનું સસ્તું થઇ 50,460 રૂપિયે આવી ગયું હતું, જે પાછલા મહિનાની શરૂઆતમાં 52 હજાર પર પહોંચી ગયું હતું. ત્યાં ઓગસ્ટ-2020માં સોનાએ રેકોર્ડ 56000 રૂપિયાની સપાટીને સ્પર્શયું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow