રૂમની બહાર બેસીને તાપણું કરી રહેલા બે મિત્રો વચ્ચે અચાનક કંઈક એવું થયું કે, મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો…

રૂમની બહાર બેસીને તાપણું કરી રહેલા બે મિત્રો વચ્ચે અચાનક કંઈક એવું થયું કે, મિત્રએ જ મિત્રનો જીવ લઈ લીધો…

ગુજરાતના વલસાડ જિલ્લામાં બનેલી એક જીવ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મિત્રએ જ પોતાના મિત્રનો જીવ લઇ લીધો છે. વરસાદ જિલ્લાના ઉમરગામ ખાતે ડમરુવાડીમાં ભાડાની રૂમમાં રહેતા અવંતકુમાર છોટેલાલ પ્રજાપતિ તેનો રીક્ષા ચાલક મિત્ર અજીત દેવીપુજક અને તેનો ભાઈ કરણ દેવીપૂજક સાથે રૂમની બહાર તાપણું કરી રહ્યા હતા. શાંતિથી બેઠા બેઠા તાપણું કરી રહ્યા હતા.

ત્યારે અવંતકુમાર અને અજીત વચ્ચે રૂપિયાની લેતીદેતીનો હિસાબ ચાલી રહ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે થયેલી ઉગ્ર બની ગઈ હતી. ત્યારે ગુસ્સામાં ભરાયેલા અજીતે ધારદાર વસ્તુઓ વડે અવંતકુમાર ઉપર પ્રહાર કર્યા હતા.

આ ઘટનામાં અવંતકુમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે અજીતનો ભાઈ કરણ અવંતને બચાવવા માટે વચ્ચે પડે છે. ત્યારે ગુસ્સામાં ભરાયેલો અજીત પોતાના ભાઈ કરણ પર પણ ધારદાર વસ્તુ વડે પ્રહાર કરે છે. ત્યારબાદ અજીત દેવીપુજક ત્યાંથી રીક્ષા લઈને ભાગી ગયો હતો. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ ઘટના સ્થળે એકઠા થયેલા લોકો ઇજાગ્રસ્ત થયેલા કરણ અને અવંતને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. બંનેને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં અવંતકુમાર પ્રજાપતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેથી તેને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવંત પ્રજાપતિનું મોત થયું હતું.

આ ઘટનાની માહિતી મળતા ઉમરાગામ પોલીસની ટીમ હોસ્પિટલ પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા અવંતકુમાર પ્રજાપતિના પિતા છોટેલાલ પ્રજાપતિએ અજીત દેવીપુજક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow