સ્માર્ટફોનનું વેચાણ 3 વર્ષના તળિયે 43 મિલિયન યુનિટ્સ નોંધાયું

સ્માર્ટફોનનું વેચાણ 3 વર્ષના તળિયે 43 મિલિયન યુનિટ્સ નોંધાયું

દેશમાં જુલાઇ-સપ્ટેમ્બર 2022 દરમિયાન સ્માર્ટફોનનું વેચાણ 10 ટકાના ઘટાડા સાથે 43 મિલિયન રહ્યું હતું. જે ત્રણ વર્ષના તળિયે છે. માર્કેટ રિસર્ચ ફર્મ ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન અનુસાર જુલાઇ-સપ્ટેમ્બરના ક્વાર્ટર દરમિયાન કુલ સ્માર્ટફોનના વેચાણમાં 5જી સ્માર્ટફોનનો માર્કેટ શેર 36 ટકા રહ્યું હતું, જેમાં રૂ.32,000 કે તેથી વધુ કિંમત ધરાવતા કુલ 16 મિલિયન યુનિટ્સનું વેચાણ થયું હતું.

ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન (IDC)ના વર્લ્ડવાઇડ ક્વાર્ટરલી મોબાઇલ ફોન ટ્રેકર રિપોર્ટ અનુસાર જુલાઇ-સપ્ટેમ્બર 2022 દરમિયાન ભારતના સ્માર્ટફોન માર્કેટમાં વેચાણ 10 ટકા ઘટીને 43 મિલિયન યુનિટ્સ રહ્યું હતું. દિવાળી તહેવાર છતાં પણ વર્ષ 2019 બાદથી આ સૌથી તળિયે જોવા મળ્યું હતું. માંગમાં ઘટાડો તેમજ કિંમતમાં વધારાથી તહેવારોમાં ખરીદીને અસર થઇ હતી.

ઇન્વેટરીમાં વધારો તેમજ તહેવારો પછી ચક્રિય માગમાં ઘટાડો થવાથી ડિસેમ્બર 2022ના ક્વાર્ટર દરમિયાન પણ વેચાણ મંદ રહેશે તેમજ વર્ષ 2022માં વાર્ષિક વેચાણ વધુ 8-9 ટકા ઘટાડા સાથે 150 મિલિયન યુનિટ્સ નોંધાશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow