ઈક્વિટી ફંડ્સમાં કુલ નવા રોકાણના 54.7% હિસ્સો સ્મોલ-કેપ ફંડ્સમાં નોંધાયો: AMFI

ઈક્વિટી ફંડ્સમાં કુલ નવા રોકાણના 54.7% હિસ્સો સ્મોલ-કેપ ફંડ્સમાં નોંધાયો: AMFI

વૈશ્વિક સ્તરે હજુ અનિશ્ચિતત્તાનો માહોલ રહ્યો હોવા છતાં ભારતીય ઇક્વિટી માર્કેટમાં રોકાણ ટ્રેન્ડ જળવાઇ રહ્યો છે. જોકે, જુલાઇ મહિનામાં રોકાણ પેટર્નમાં બદલાવ આવ્યો છે. ઇક્વિટી ફંડ્સમાં લાર્જેકપની તુલનાએ સ્મોલકેપ ફંડ્સમાં રોકાણ હિસ્સો વધુ રહ્યો છે. ઈક્વિટીમાં રોકાણ કરતા મ્યુચ્યુઅલ ફંડમાં ગયા મહિનાની ઈન્વેસ્ટમેન્ટ પેટર્ન રસપ્રદ રહી હતી. સ્મોલ-કેપ ફંડ્સે સૌથી વધુ રોકાણ કર્યું છે. તેનાથી વિપરીત, લાર્જ-કેપ ફંડ્સમાં મહત્તમ ઉપાડ જોવા મળ્યો હતો.

આ કારણે જૂનની સરખામણીએ તમામ પ્રકારના ઇક્વિટી ફંડ્સમાં રોકાણ ઘટ્યું છે. ઇક્વિટી ફંડ્સને જુલાઈમાં રૂ. 7,626 કરોડનું રોકાણ નોંધ્યું હતું. જ્યારે જૂનમાં રૂ. 8,637.50 કરોડ રહ્યું હતું. આ સમયગાળા દરમિયાન, લાર્જ-કેપ, ફોકસ્ડ ફંડ્સ, ELSS અને ફ્લેક્સી-કેપ ફંડ્સને બાદ કરતાં મોટા ભાગના ઇક્વિટી ફંડ્સમાં આઉટફ્લો કરતાં વધુ ઇનફ્લો જોવા મળ્યો હતો. હકીકતમાં, રોકાણકારો સ્મોલ-કેપ ફંડ્સના સારા પ્રદર્શનથી આકર્ષાયા હતા. આ કારણે ગયા મહિને ઇક્વિટી ફંડ્સમાં કુલ રોકાણના 54.7% સ્મોલ-કેપ ફંડ્સમાં કરવામાં આવ્યું હતું.

સ્મોલ-કેપ ફંડ્સમાં સૌથી વધુ રોકાણ
Amfi દ્વારા રજૂ કરાયેલા અહેવાલ અનુસાર જુલાઇમાં સ્મોલ-કેપ ફંડ્સમાં સૌથી વધુ રૂ. 4,171.44 કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો. જુલાઇ સતત ચોથો મહિનો હતો જ્યારે સ્મોલ-કેપ ફંડ્સમાં ઇક્વિટી ફંડની તમામ શ્રેણીઓમાં સૌથી વધુ રોકાણ પ્રવાહ જોવા મળ્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow