13 વર્ષમાં 1200 વખત સ્કાયડાઇવિંગ, હવે સૌથી વધુ ઊંચાઈએથી ફ્રીફોલનો રેકોર્ડ બનાવશે

13 વર્ષમાં 1200 વખત સ્કાયડાઇવિંગ, હવે સૌથી વધુ ઊંચાઈએથી ફ્રીફોલનો રેકોર્ડ બનાવશે

અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ફિલોસોફીમાં માસ્ટર્સ અને MITમાંથી એન્જિનિયરિંગ પૂર્ણ કર્યા પછી, ડૉ. સ્વાતિ વાર્ષણેય હવે પૃથ્વીના સ્ટ્રેટોસ્ફિયરથી કૂદકો મારનાર પહેલી ભારતીય બનવાનું ગૌરવ મેળવવા જઈ રહી છે.

સ્વાતિ છેલ્લાં 13 વર્ષમાં 1200 વખત સ્કાયડાઇવિંગ કરી ચૂકી છે. હવે, તેના આ અદભુત પરાક્રમમાં સફળ થશે, તો તે સૌથી વધુ ઊંચાઈથી ફ્રીફોલનો રેકોર્ડ પણ બનાવશે. વ્યવસાયે કોમ્પ્યુટર એન્જિનિયર સ્વાતિ માટે સિદ્ધિઓની આ સફર સરળ નહોતી. બાળપણમાં જ તેણે રંગભેદ અને જાતિવાદના પડકારોનો સામનો કર્યો. ત્રીજા ધોરણમાં, તેની ક્લાસમેટે તેની સાથે રમવાની ના પાડી દીધી હતી. સ્વાતિ કહે છે કે કિશોરાવસ્થામાં તે પહેલાં ભીડનો ભાગ બનવા માટે તે દરેક તફાવત છુપાવવાનો પ્રયાસ કરતી. ત્વચાના રંગને કારણે, ગોરા લોકોની સ્કાયડાઇવિંગ કમ્યુનિટીમાં પણ તેને અલગ નજરે જોતા. પરંતુ વધતી ઉંમર સાથે તે દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવનાર ભારતીય સભ્યતાનું મહત્ત્વ સમજવા લાગી છે. હવે તે તેને છુપાવતી નથી, તેની ઉજવણી કરે છે. તેની સંસ્કૃતિ પર ગર્વ વ્યક્ત કરે છે.

સ્વાતિ કહે છે કે સ્કાયડાઇવિંગમાં ભારતીય મહિલાઓ માટે ઘણી તકો છે. ભારતમાં તેને બહુ ઓળખ નથી મળી, પરંતુ હું તેના ભવિષ્ય વિશે આશાવાદી છું. મેં જ્યારે સ્કાયડાઇવિંગ શરૂ કર્યું ત્યારે મારાં માતા-પિતા તો મૂળ ઉત્તરપ્રદેશના અલીગઢના રહેવાસી. મારાં માતા-પિતા ખૂબ જ ડરી ગયાં હતાં. મેં તેને મારી સુરક્ષાની સંપૂર્ણ ખાતરી આપી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow