તમારી ડાયેટ પર આધાર રાખે છે ત્વચાનો ગ્લો, દરરોજ કરો આ 5 વસ્તુઓનું સેવન પછી જુઓ ચમત્કાર

તમારી ડાયેટ પર આધાર રાખે છે ત્વચાનો ગ્લો, દરરોજ કરો આ 5 વસ્તુઓનું સેવન પછી જુઓ ચમત્કાર

કહેવાય છે કે આપણે જે પણ કંઈ ખાઈએ તેની સીધી અસર આપણા શરીરની અંદરના અને બહારના સ્વાસ્થ્ય પર પડે છે. તમે જોયુ હશે કે ઘણા દિવસ સુધી બહારનું ભોજન કર્યા બાદ ચહેરો વિલાઈ જાય છે. ઓઈલી અને બેજાન દેખાવવા લાગે છે. ટોક્સિંસ બહાર નિકળવા પર શરીર અંદરથી સાફ થઈ જાય છે અને બહારની ત્વચા પણ દાગ-ધબ્બા રહિત જોવા મળે છે.

ગ્લોઈંગ સ્કીન માટે કરો આ વસ્તુઓનું સેવન

ખીરા કાકડી
ભોજનમાં ખીરા કાકડીને શામેલ કરવાના ઘણા ફાયદા છે. ખીરામાં વિટામિન-સી, વિટામિન કે અને એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. તેને ખાવાથી શરીરને એન્ટી-એજિંગ ગુણ પણ મળે છે.

કમાલની વાત એ છે કે ખીરાને ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે ખઈ પણ શકાય છે સાથે જ ચહેરા પર લગાવી પણ શકા છે. ખીરાના સ્લાઈસ આંખો પર મુકવાથી કાળા ધબ્બા થઈ જાય છે. સાથે જ તેના રસને સ્કિન પર લગાવવાથી ગંદકી દૂર થાય છે.

દાડમ
ત્વચાને ચમકદાર અને લાંબા સમય સુધી જવાન રાખવા માટે દાડમને ડાયેટનો ભાગ બનાવો. વિટામિન-સી અને એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર દાડમને ખાવા પર શરીર સ્વસ્થ્ય પણ રહે છે અને ત્વચા પણ ગ્લો કરે છે.

હળદર
ઔષધીય ગુણો ઘરાવતી હળદર, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. તેના કારણે  તેને અલગ અલગ રીતે પોતાના ભોજનનો ભાગ બનાવવો જોઈએ.

હળદરને શાક-ભાજીમાં નાખવાની સાથે તેનો જ્યુસ પી શકાય છે. હળદર વાળુ દૂધ પી શકાય છે. હળદરનો સૂપ અને સ્મૂદી વગેરેમાં પણ હળદર નાખી શકાય છે.

ગ્રીન ટી
સામાન્ય રીતે પેટ અંદર કરવા અને વજન ઓછુ કરવા માટે ગ્રીન ટી પીવામાં આવે છે. પરંતુ તેની અસર ત્વચા પર પણ જોવા મળી શકે છે. ગ્રીન ટી પીવાથી તેના એન્ટી-ઓક્સીડેન્ટ્સ શરીરને મળે છે જે શરીરમાંથી ટોક્સિંસ દૂર કરવા અને એજીંગ પ્રોસેસને ધીમા કરવામાં મદદ કરે છે.

પાલક
ભોજનમાં પાલકને શામલ કરવાના ઘણા કારણ છે. આ સ્કીનને હેલ્ધી રાખે છે, બેદાગ બનાવે છે, નિખારે છે અને સાથે જ એજિંગની પ્રક્રિયાને ઓછી કરવામાં અસરકારક સાબિત થઈ જાય છે. તેને અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તમે તેનો જ્યુસ અને સૂપ બનાવીને પણ પી શકો છો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow