ડિસ્ટ્રિબ્યૂટર્સ માટે SIP આધારિત ટ્રેનિંગ પ્રોગ્રામ હવે બંધ થશે-એમ્ફી

ડિસ્ટ્રિબ્યૂટર્સ માટે SIP આધારિત ટ્રેનિંગ પ્રોગ્રામ હવે બંધ થશે-એમ્ફી

મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે એસઆઇપી ટાર્ગેટ આધારિત ટ્રેનિંગ બંધ કરશે. AmFiએ એસેટ મેનેજમેન્ટ કંપનીઓને આ નિર્દેશ આપ્યો છે. આ નિર્ણય ત્યારે લેવાયો છે જ્યારે કેટલીક એસેટ મેનેજમેન્ટ કંપનીઓ માર્કેટ નિયામક સેબીના નિર્દેશોનું ઉલ્લંઘન કરીને મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે ‘ટ્રેનિંગ પ્રોગ્રામ’ કરે છે.

માર્કેટમાં એવા પણ રિપોર્ટ્સ છે કે કેટલીક AMCએ SIPનો ટાર્ગેટ પૂરા કરનારા ડિસ્ટ્રીબ્યૂટર્સ માટે દર્શનીય સ્થળો પર ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કર્યુ છે. તેમાં આદિત્ય બિરલા સન લાઇફ મ્યુચ્યુઅલ ફંડ, તાતા મ્યુચ્યુઅલ ફંડ, ડીએસપી મ્યુચ્યુઅલ ફંડ સામેલ છે. ત્યારબાદ AmFiએ કંપનીઓને આ નિર્દેશ આપ્યો છે. સૂત્રોનુસાર, 2018થી પહેલા આ રીત ચલણમાં હતી. પરંતુ સેબીના 2018ના નિર્દેશ બાદ ફંડ હાઉસ તેવું કરી શકે નહીં. તેમાં સેબીએ કહ્યું હતું કે ડિસ્ટ્રીબ્યૂટર્સને રિવોર્ડ અથવા નૉન-કેશ ઇન્સેન્ટિવ આપવા માટે ‘ટ્રેનિંગ પ્રોગ્રામ’નો દૂરુપયોગ ન થવો જોઇએ.

SIPમાં વધુ રોકાણ લાવે, ટ્રેનિંગનું સ્થળનું પણ આકર્ષક
એક ફંડ હાઉસે ત્રણ સ્થળો પર ‘ટ્રેનિંગ પ્રોગ્રામ’ કર્યો હતો. તેને ‘ટ્રેનિંગ 1, ટ્રેનિંગ 2 અને ટ્રેનિંગ 3ના રૂપમાં ઓળખવામાં આવે છે. ટ્રેનિંગ -1 સેન્ટર તે ડિસ્ટ્રીબ્યૂટર્સને ફાળવવામાં આવ્યું હતું, જેઓને બી-30 લોકેશન પરથી 1.5 લાખ રૂપિયાનું SIP કલેક્શન મળ્યું છે. જ્યારે, 4.50 લાખ રૂપિયાનું SIP રોકાણ લાવનારા ડ્રિસ્ટીબ્યૂટર માટે 3 નંબરની ટ્રેનિંગ ઓફર કરવામાં આવી હતી. સૂત્રોનુસાર, SIPમાં રોકાણ જેટલું વધુ હોય છે, ટ્રેનિંગ પ્રોગ્રામનું સ્થળ પર એટલું જ વધુ આકર્ષક હોય છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow