સોના કરતા ચાંદીમાં ચમક વધારે!

સોના કરતા ચાંદીમાં ચમક વધારે!

સોનાની ઉંચી કિંમતોના કારણે ભારતમાં ચાંદીનો વપરાશ જ્વેલરી સેગમેન્ટમાં ઝડપભેર વધવા લાગ્યો છે જેના કારણે ભારતમાં ચાંદીનો વપરાશ આ વર્ષે લગભગ 80% જેટલો રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાની ધારણા છે. દેશમાં આ વર્ષે માત્ર આઠ મહિનામાં ચાંદીની આયાત 41 ગણાથી વધુ વધીને 6,370 ટન થઈ છે. આજ કારણ છે કે લંડનથી હોંગકોંગ સુધીના બુલિયન ટ્રેડર્સના વોલ્ટમાં ચાંદીની ઈન્વેન્ટરી ઘટી છે.

સપ્ટેમ્બરના અંતે લંડનની તિજોરીઓમાં ચાંદીનું હોલ્ડિંગ ઘટીને 27,101 ટન થઈ હતી, જે 2016 પછી સૌથી નીચલા સ્તરે છે. વધુમાં રોકાણકારો પણ સોનાથી ડાયવર્ટ થઇ ચાંદી તરફ આકર્ષાયા છે. વર્ષમાં ચાંદીની કિંમતમાં સરેરાશ 15-20 ટકાની અપડાઉન જોવા મળે છે જેના કારણે રોકાણકારોમાં આકર્ષણ વધ્યું છે.

લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (LBMA) અનુસાર, 2020 અને 2021માં ભારતીયો ચાંદીના સૌથી ઓછા ખરીદદારો હતા. કોવિડ -19 મહામારીના કારણે સપ્લાય ચેઇન અને માંગને અસર થઈ હતી. ગયા વર્ષના છેલ્લા ત્રિમાસિક ગાળાથી કોવિડ સંબંધિત પ્રતિબંધો હળવા કર્યા પછી મોટી સંખ્યામાં લોકો સોનું ખરીદવા માટે જ્વેલરી સ્ટોર્સ પર પહોંચ્યા હતા. આ કારણે સોનાનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું પરંતુ ચાંદીની માંગ માત્ર 25% વધી હતી. પરંતુ આ વર્ષે ચાંદીના વેચાણમાં ઝડપથી વધારો થયો છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow