સીડી ઊતરતી વખતે 52 વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યો

સીડી ઊતરતી વખતે 52 વર્ષીય આધેડને છાતીમાં દુખાવો ઉપડ્યો

રાજકોટમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના CCTVમાં કેદ થવા પામી છે. યોગા સેન્ટરમાં યોગ કર્યા બાદ નીચે ઉતરી ખુરશી પર બેસેલા આધેડ એકાએક નીચે ઢળી પડ્યા હતા. તેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ, તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. CCTVમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, પ્રૌઢ યોગા કરી પગથિયાં ઉતરી નીચે ઉતરી રહ્યા હતા અને નીચે ખુરશી પર તેઓ બેસી ગયા હતા.

આ સમયે જ તેમને હૃદયમાં કોઈ દુખાવો થતો હશે, જેથી તેઓ છાતી પર હાથ ફેરવતા પણ જો મળ્યા હતા અને એક મિનિટ પછી અચાનક ઢળી પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા રાજકોટના મેટોડા વિસ્તરમાં લઘુશંકા કરતા કરતા પરપ્રાંતી યુવક ઢળી પડ્યો હતો જેના પણ CCTV સામે આવ્યા હતા.

યોગા કરી સીડી ઉતરી નીચે આવ્યા ને એકાએક ઢળી પડ્યા રાજકોટ શહેરમાં આજે વધુ એક હાર્ટ એટેકની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. શહેરના રાજનગર ચોક ખાતે આવેલ ઓમ વેલનેસ સેન્ટરમાં મૂળ છત્તીસગઢના વતની રાજેન્દ્રસિંહ ગુરજી (ઉ.વ.52) સવારના સમયે યોગ કરવા માટે ગયા હતા. યોગ કર્યા બાદમાં 8 વાગ્યા આસપાસ યોગા કરી સીડી ઉતરી નીચે આવ્યા હતા અને અચાનક છાતીમાં દુખાવો થતો હશે જેથી તેઓ નીચે થોડા સમય માટે ખુરશી ઉપર બેસી ગયા હતા આ સમયે લગભગ એકાદ મિનિટ પછી તેઓ અચાનક ખુરશીમાંથી બેઠા બેઠા ત્યાંજ ઢળી પડ્યા હતા જેમને બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow