આ તારીખે વાગશે સિદ્ધાર્થ-કિયારાના લગ્નની શરણાઈ: વેન્યુની ડિટેલ પણ થઈ જાહેર

આ તારીખે વાગશે સિદ્ધાર્થ-કિયારાના લગ્નની શરણાઈ: વેન્યુની ડિટેલ પણ થઈ જાહેર

બૉલીવુડના ચર્ચિત કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીને લઇને એક નવી માહિતી સામે આવી છે.એ મુજબ હાલ કહેવામાં આવી રહ્યું છે કે બંને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ લગ્ન રાજસ્થાનમાં થશે,  

જેમાં એમના નજીકના મિત્રો અને પરિવારના સભ્યો સામેલ થશે. જો કે હજુ સુધી આ લગ્નને લઈને કપલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી પણ તાજેતરમાં જ બંને પ્રખ્યાત ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળ્યા હતા અને એ પછીથી જ તેમના લગ્નની ચર્ચાઓને વધુ હવા મળી છે.  

કપલના લગ્નની તારીખ આવી સામે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર  સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે અને આ કપલના પ્રી-વેડિંગ ફંક્શન્સ 4 અને 5 ફેબ્રુઆરીના રોજ યોજાશે જેમાં મહેંદી, હલ્દી અને સંગીત જેવી સેરેમની થશે અને 6 ફેબ્રુઆરીએ બંને જેસલમેર પેલેસ હોટલમાં સાત ફેરા લેશે. કડક સિક્યોરીટી વચ્ચે એક શાનદાર ઈવેન્ટનું આયોજન થશે.  

આ ફિલ્મ પછી બંનેની ડેટિંગ વિશે આવ્યા હતા સમાચાર
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફિલ્મ 'શેરશાહ'માં એકસાથે સ્ક્રીન શેર કરી હતી અને એ પછીથી જ તેમના સંબંધોના સમાચારો આવવા લાગ્યા હતા. જણાવી દઈએ કે આ ફિલ્મમાં બંનેની એક્ટિંગની સાથે ચાહકોને કેમેસ્ટ્રી પણ ઘણી પસંદ આવી હતી અને એ પછી સિદ્ધાર્થ અને કિયારા ઘણીવાર ઘણા ફંક્શનમાં એક સાથે જોવા મળ્યા છે.  

સિદ્ધાર્થ અને કિયારાની ફિલ્મો
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આ દિવસોમાં સિદ્ધાર્થ મલ્હોત્રા તેની આગામી ફિલ્મ મિશન મજનૂ માટે ચર્ચામાં છે. આમાં સિદ્ધાર્થ સાથે 'પુષ્પાઃ ધ રાઇઝ' ફેમ રશ્મિકા મંદન્ના જોવા મળશે. આ મૂવી 20 જાન્યુઆરીથી OTT પ્લેટફોર્મ Netflix પર સ્ટ્રીમ કરવામાં આવશે અને કિયારા અડવાણી છેલ્લે ગોવિંદા નામ મેરા ફિલ્મમાં જોવા મળી હતી હવે કિયારાની 'RC 15' ફિલ્મમાં તે રામ ચરણ સાથે સ્ક્રીન શેર કરી રહી છે જે આવતા વર્ષે રિલીઝ થશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow