શ્રુતિ હાસને નાકની સર્જરી કરાવી હોવાનું કબલ્યૂં

શ્રુતિ હાસને નાકની સર્જરી કરાવી હોવાનું કબલ્યૂં
હું વધુ સુંદર દેખાવા માગતી હતી, લોકોને જસ્ટિફિકેશન આપી શકું નહીં

એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાના અંગત જીવનના ઘટસ્ફોટ કરવા માટે જાણીતી છે. હાલમાં જ તેણે પોતાના નાકની સર્જરી કરાવવાની વાત જાહેરમાં સ્વીકારી હતી. શ્રુતિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે સુંદર દેખાવ માટે નાકની સર્જરી કરાવી હતી. ચાહકો તેના લુક અંગે શું રિએક્શન આપે છે, તેનાથી તેને કોઈ ફેર પડતો નથી અને તે આ અંગે જસ્ટિફાઇ પણ કરવા માગતી નથી. તેની બૉડી છે અને તે જેમ ઈચ્છે તેમ રહી શકે છે.

તૂટેલા નાક સાથે પહેલી ફિલ્મ કરી હતી

શ્રુતિએ કહ્યું હતું, 'મેં નોઝ સર્જરી કરાવી છે. મારું નાક તૂટી ગયું હતું અને ઘણું જ વિચિત્ર દેખાતું હતું. હું મારી પહેલી ફિલ્મમાં તૂટેલાં નાક સાથે જ જોવા મળી હતી. પછી મેં સર્જરી કરાવી હતી, કારણ કે હું સુંદર દેખાવવા માગતી હતી. જો હું મારો ચહેરો સુંદર બનાવવા માગું છું તો પ્રોબ્લમ શું છે? હું કેવી દેખાઉં છું અને કેવી નથી દેખાતી, આ વાત કોઈને જસ્ટિફાઇ કરી શકું નહીં. મારી બૉડી છે અને હું તેને મને ગમે તે રીતે રાખી શકું છું.'

ચાહકો માને છે કે મારો ચહેરો વિદેશી જેવો છે શ્રુતિએ એમ પણ કહ્યું હતું, 'હું આ બધી વાતોને પ્રમોટ કરતી નથી. જો તમે આને કરાવવા માગો છો તો કરાવો નહીંતર ના કરો, પરંતુ હું જે કરવા માગું છું, તે મને કરવા દો. ચાહકો તો એમ કહે છે કે મારો ચહેરો વિદેશી જેવો દેખાય છે. તેની પાસે ટેલેન્ટ છે, પરંતુ તે ભારતીય લાગતી નથી. જોકે, મેં જ્યારથી ફિલ્મ કરવાની શરૂઆત કરી, ત્યારથી મને ગામડાંની યુવતીના પાત્રો વધુ મળ્યા છે.'

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow