શ્રાવણ માસમાં STની 50 એક્સ્ટ્રા બસો દોડશે

શ્રાવણ માસમાં STની 50 એક્સ્ટ્રા બસો દોડશે

25 જુલાઈથી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. ભોળાનાથને રિઝવવા માટે ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ ઉમટી પડવાની છે ત્યારે ત્યાં જવા માંગતા શ્રદ્ધાળુઓ સલામત સવારી અને સસ્તી ગણાતી એસટી બસની મુસાફરી કરી શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 50 બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપો પરથી હાલ 513 બસનું સંચાલન થઈ રહ્યું છે. જેમાં દૈનિક 25,000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. આ દરમિયાન શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને સોમનાથ, દ્વારકા અને ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસની સંખ્યામાં 50નો વધારો થશે અને તેથી દૈનિક 2500 મુસાફરોને ફાયદો થશે.

રાજકોટથી સોમનાથ, દ્વારકા, ઘેલા સોમનાથ માટે એક્સ્ટ્રા બસો દોડાવાશે રાજકોટ એસટીના વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યું હતું કે, 25 જુલાઈથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે. જેને ધ્યાનમાં રાખીને રાજકોટથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, દ્વારકા તેમજ ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસમાં વધારો કરવામાં આવશે. શ્રાવણ મહિનાના સોમવારે શ્રદ્ધાળુઓ માટે સોમનાથની એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે. આ ઉપરાંત જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને દ્વારકા જતી એસટી બસમાં પણ વધારો કરવામાં આવશે.

આ સાથે જ મુસાફરો માટે GSRTCમાં ઓનલાઇન રિઝર્વેશનની પણ સુવિધા છે. જેમાં www.gsrtc.in પર મુસાફરો ટિકિટ બુકિંગ કરી શકે છે. આ સાથે જ GSRTCની મોબાઇલ એપ્લિકેશનની મદદથી પણ ટિકિટ બુકિંગ થઈ શકશે. જેમાં 60 દિવસ પહેલા એડવાન્સ ટિકિટ બુકિંગ થઈ શકે છે. જેથી જે મુસાફરોને તહેવારો દરમિયાન એસટી બસ મારફત કોઈ જગ્યાએ જવાનું હોય તો તેના માટે એડવાન્સ બુકિંગ પણ મુસાફરો કરાવી શકે છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow