સતત ચોથા વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો

સતત ચોથા વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો

ભાવનગર ઉપરાંત અમરેલી અને જૂનાગઢ પંથકમાં આ વર્ષે અવિરત મેઘમહેર વરસતી રહી છે અને પરિણામે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઇ જતા આજે રાત્રે 9 કલાકે આ મહાકાય ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવતા જ એક અભૂતપૂર્વ વિક્રમ રચાયો હતો. આ ડેમનું નિર્માણ થયું ત્યાર બાદ એક પણ વખત આ ડેમ સતત ચાર વર્ષ ખોવરફ્લો થયો ન હતો પણ છેલ્લાં ચાર વર્ષ, 2020થી 2023, ચારેય વર્ષે આ ડેમ ઓવરફ્લો થતા એક જ ઇતિહાસ સર્જાયો છે.

સાથે ભાવનગર જિલ્લામાં પાક અને પીવાના પાણીની સમસ્યાનો નિકાલ થયો છે. શેત્રુંજી ડેમ 100% ભરાઇ ગયેલ છે. હાલની સપાટી 34 ફૂટ છે અને પાણીની આવક 1800 કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. ગત વર્ષે આ ડેમ 15 સપ્ટેમ્બરે છલકાયો હતો તો આ વર્ષે વધુ મેઘમહેરને લીધે 56 દિવસ પૂર્વે 21 જુલાઇએ આ ડેમ છલકાયો છે. આ ડેમમાં સવારથી પાણીની આવક 28,600 ક્યૂસેક હતી. તે આજે રાત્રે ઘટીને 1800 ક્યસેક થઇ ગયો હતો. શેત્રુંજી ડેમની નહેરો ડાબા અને જમણા બન્ને કાંઠે આવેલી છે.

ડાબા કાંઠાની નહેરની લંબાઈ 96 કિ.મી.ની છે જેની પાણીની વહન શક્તિ 14.72 ઘનમીટર પ્રતિ સેકન્ડની છે તો જમણા કાંઠાની નહેરની લંબાઈ 57 કિ.મી.ની છે જેમાં પાણીની વહનશક્તિ 19.68 ઘનમીટર પ્રતિ સેકન્ડની છે. 12 હજાર હેક્ટર જેટલી જમીનમાં આ પાણીથી સિંચાઈને લાભ મળે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow