3 બાળકોની સાથે આસિસ્ટન્ટ અને શ્વાનને પણ મિયામી બીચ પર એપાર્ટમેન્ટમાં હિસ્સો

3 બાળકોની સાથે આસિસ્ટન્ટ અને શ્વાનને પણ મિયામી બીચ પર એપાર્ટમેન્ટમાં હિસ્સો

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સ્વર્ગસ્થ પત્ની ઇવાના ટ્રમ્પની વસિયત અંગેની માહિતી સપાટી પર આવી છે. તેમની કુલ સંપત્તિ 3.4 કરોડ ડોલર અથવા તો 280 કરોડ રૂપિયા હતી. વસિયતમાં ઇવાનાએ સંપત્તિ પોતાનાં ત્રણ બાળકોને બરોબર હિસ્સામાં વહેંચી દીધી છે. ઇવાનાએ પોતાનાં બાળકોની સાથે સંપત્તિનો એક મોટો હિસ્સો બાળકોની દેખરેખ કરનાર મહિલા કર્મચારી અને પાલતુ શ્વાનોનાં નામ પણ કરી દીધો છે.

વસિયત તૈયાર કરતી વેળા ઇવાનાએ કહ્યું હતું કે તેઓ પોતાના વસિયત પૈકી એક હિસ્સો પોતાના પેટ ટાઇગર ટ્રમ્પ અને એવા તમામ પ્રાણીઓનાં નામે કરી રહી છે જે તેમનાં મૃત્યુ સમયે તેમની પાસે રહેશે. તેમના સહાયક સુજાના ડોરોથી કરીને મિયામી બીચની પાસે એપોર્ટમેન્ટ આપવા જઇ રહી છે. આશ્ચર્યજનક બાબત એ છે કે ઇવાનાએ પતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોઇ સંપત્તિ આપી નથી. અત્રે નોંધનીય છે કે 73 વર્ષીય ઇવાનાનું મોત ગયા વર્ષે જુલાઇમાં મેનહટ્ટનવાળા આવાસમાં સીડી પરથી પડી જવાના કારણે થયું હતું. સુજાનાને આપવામાં આવેલા એપાર્ટમેન્ટની કિંમત આશરે નવ કરોડ છે. જેમાં એક બેડરૂમ, બાથરૂમ અને કિચન છે.

આ ફ્લેટ 1000 સ્કવેર ફૂટમાં છે. આ ફ્લેટ 2001માં બનાવાયા બાદ તેની કિંમતમાં સતત વધારો થયો છે. ઇવાનાએ 2009માં એપાર્ટમેન્ટની 5.25 કરોડ રૂપિયામાં ખરીદી કરી હતી. 2017માં ઇવાનાએ સુજાનાના સંબંધમાં પોતાના પુસ્તક ‘રાઇઝિંગ ટ્રમ્પ’માં ઉલ્લેખ કર્યો હતો.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow