કોર્ટના આદેશ પછી શાહબાજ ફસાયા

કોર્ટના આદેશ પછી શાહબાજ ફસાયા

આર્થિક-રાજકીય સંકટથી ગ્રસ્ત પાકિસ્તાનમાં હવે ન્યાયતંત્ર સાથે ખેંચતાણ બાદ બંધારણીય સંકટની સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ સંકટની સ્થિતિ દેશના સૌથી મોટા પંજાબ પ્રાંતમાં 14મી મેના દિવસે ચૂંટણી યોજવાને લઇને સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ સર્જાઇ છે. વડાપ્રધાન શાહબાજ શરીફના નેતૃત્વમાં કેબિનેટે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણી યોજવાના સુપ્રીમકોર્ટના આદેશને ફગાવી દીધો છે. આ મામલે ગુરુવારે ઇસ્લામાબાદમાં સત્તારૂઢ ગઠબંધન (પીડીએમ)ના નેતાઓ સાથે શાહબાજે બેઠક પણ યોજી હતી. હવે શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક છે, જેમાં ટોચના સૈન્ય અધિકારી પણ હાજર રહેશે.

લંડનમાં રહેતા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે આ મુદ્દે કહ્યું છે કે સંસદે ચીફ જસ્ટિસ બંદિયાલ, જસ્ટિસ ઇજાજુલ તેમજ જસ્ટિસ મુનીબ અખ્તરની સામે તિરસ્કારની કાર્યવાહી કરવી જોઇએ. કોર્ટે વિધાનસભાને અક્ષમ અને નિરર્થક બનાવી દીધી છે. પાકિસ્તાનનું ન્યાયતંત્ર પક્ષપાતી છે. પૂર્વ સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને ફેજ હામિદે પીટીઆઇ પ્રમુખ ઇમરાન અને સુપ્રીમકોર્ટના ન્યાયધીશો-સાકિબ નિસાર, અજમત સઇદ શેખ, જસ્ટિસ અહેસાનની સાથે આસિફ સઇદ ખોસા તેમજ જસ્ટિસ બંદિયાલે 2017માં તેમને સત્તાથી દૂર કરવા માટે કાવતરાં ઘડ્યાં હતાં. સરકારના સાથી પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-જરદારીએ કહ્યું છે કે જજની મોટી બેન્ચ બનાવવાની જરૂર છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow