કોર્ટના આદેશ પછી શાહબાજ ફસાયા

કોર્ટના આદેશ પછી શાહબાજ ફસાયા

આર્થિક-રાજકીય સંકટથી ગ્રસ્ત પાકિસ્તાનમાં હવે ન્યાયતંત્ર સાથે ખેંચતાણ બાદ બંધારણીય સંકટની સ્થિતિ સર્જાઇ ગઇ છે. આ સંકટની સ્થિતિ દેશના સૌથી મોટા પંજાબ પ્રાંતમાં 14મી મેના દિવસે ચૂંટણી યોજવાને લઇને સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ સર્જાઇ છે. વડાપ્રધાન શાહબાજ શરીફના નેતૃત્વમાં કેબિનેટે પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણી યોજવાના સુપ્રીમકોર્ટના આદેશને ફગાવી દીધો છે. આ મામલે ગુરુવારે ઇસ્લામાબાદમાં સત્તારૂઢ ગઠબંધન (પીડીએમ)ના નેતાઓ સાથે શાહબાજે બેઠક પણ યોજી હતી. હવે શુક્રવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની બેઠક છે, જેમાં ટોચના સૈન્ય અધિકારી પણ હાજર રહેશે.

લંડનમાં રહેતા પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા નવાઝ શરીફે આ મુદ્દે કહ્યું છે કે સંસદે ચીફ જસ્ટિસ બંદિયાલ, જસ્ટિસ ઇજાજુલ તેમજ જસ્ટિસ મુનીબ અખ્તરની સામે તિરસ્કારની કાર્યવાહી કરવી જોઇએ. કોર્ટે વિધાનસભાને અક્ષમ અને નિરર્થક બનાવી દીધી છે. પાકિસ્તાનનું ન્યાયતંત્ર પક્ષપાતી છે. પૂર્વ સેનાપ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને ફેજ હામિદે પીટીઆઇ પ્રમુખ ઇમરાન અને સુપ્રીમકોર્ટના ન્યાયધીશો-સાકિબ નિસાર, અજમત સઇદ શેખ, જસ્ટિસ અહેસાનની સાથે આસિફ સઇદ ખોસા તેમજ જસ્ટિસ બંદિયાલે 2017માં તેમને સત્તાથી દૂર કરવા માટે કાવતરાં ઘડ્યાં હતાં. સરકારના સાથી પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો-જરદારીએ કહ્યું છે કે જજની મોટી બેન્ચ બનાવવાની જરૂર છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow