સગીર પર અત્યાચાર મામલે DGPને માનવ અધિકાર પંચની નોટિસ

સગીર પર અત્યાચાર મામલે DGPને માનવ અધિકાર પંચની નોટિસ

રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક સગીર સાથે એક વ્યક્તિ દ્વારા અમાનવીય કૃત્ય કરાતું હોવાનો વીડિયો વાઈરલ થયા બાદ માનવ અધિકાર પંચ દ્વારા આ ઘટનાની નોંધ લેવામાં આવી છે. રાજ્ય પોલીસવડાને નોટિસ આપી આ મામલે બે અઠવાડિયાંમાં વિગતવાર રિપોર્ટ સોંપવા આદેશ કરાયો છે. નોંધનીય છે કે મારામારીના એક કેસમાં સામેલ સગીર આરોપીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં રાખી એક વ્યક્તિએ માથાના વાળ ખેંચી કાઢ્યા હતા, જેનો વીડિયો એક પોલીસકર્મી દ્વારા જ બનાવવામાં આવ્યો હતો. એ વાઈરલ થયા બાદ આ મામલે વાળ ખેંચનાર અને વીડિયો બનાવનાર બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં ઓગસ્ટ મહિનામાં થયેલી મારામારીની ઘટનામાં આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આરોપીઓ પૈકી એક 17 વર્ષીય સગીર આરોપીનું માથું પકડી વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર કર્યાનો વીડિયો વાઇરલ થતાં સગીર આરોપીનાં દાદી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ફરિયાદી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.31.08.2025ના રોજ રાત્રિના આશરે 10 વાગ્યે રૈયા રોડ પર કનૈયા ચોક પાસે મારા પૌત્ર તથા તેના અન્ય ચાર-પાંચ મિત્રોને કોઈ સાથે ઝઘડો થયો હતો, જેમાં તે છોકરાને છરી વાગી હતી. આ બનાવ બાદ મારો પૌત્ર એ દિવસે રાત્રિના સમયે મારા ઘરે હતો ત્યારે આશરે 12.30 વાગ્યે પોલીસ મારા ઘરે તપાસમાં આવી હતી અને મારા પૌત્રની પૂછપરછ કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઈ હતી.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow