સેન્સેક્સ 49 પોઇન્ટ વધીને 59,549 પર બંધ, સરકારી બેંકોના શેર્સમાં ઊછાળો

સેન્સેક્સ 49 પોઇન્ટ વધીને 59,549 પર બંધ, સરકારી બેંકોના શેર્સમાં ઊછાળો

ભારતીય શેર બજારમાં અઠવાડિયાના બીજા કારોબારી દિવસે, એટલે મંગળવારે(31 જાન્યુઆરી) નજીવો વધારો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 49 પોઇન્ટની સાથે 59,549ના સ્તર પર બંધ થયું હતું. ત્યારે નિફ્ટી 13 પોઇન્ટની તેજી સાથે 17,662ના સ્તર સુધી પહોંચી ગયું હતું. સતત બીજા કારોબારી દિવસે માર્કેટમાં તેજી રહી હતી. સેન્સેક્સના 30 શેરમાંથી 15માં તેજી જોવા મળી હતી. ત્યારે 15 શેરોમાં ઘટાડો થયો હતો.

SBI અને M&M ટોપ ગેઇનર
SBI, M&M, પાવર ગ્રિડ, અલ્ટ્રાટેક સીમેન્ટ, અદાણી પોર્ટ્સ, આયશર મોટર્સ, BPCL અને JSW સ્ટીલ સહિત નિફ્ટી-50ના 24 શેરમાં તેજી રહી હતી. બજાજ ફાઇનાન્સ, TCS, ટેક મહિન્દ્રા, બ્રિટાનિયા, HDFC લાઇફ, સન ફાર્મા, સિપ્લા, એશિયન પેન્ટ્સ અને ડિવિસ લેબ સહિત નિફ્ટીના 25 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારે એક શેરમાં કોઈ પણ બદલાવ આવ્યો નહતો.

PSU બેંક સેક્ટરમાં 4.28%ની તેજી
NSEના 11 સેક્ટોરલ ઈન્ડેક્સમાંથી 9માં તેજી જોવા મળી હતી. PSU બેંક સેક્ટરમાં સૌથી વધુ 4.28%ની તેજી રહી હતી. મીડિયા સેક્ટરમાં 2.37%, ઓટોમાં 1.89%, મેટલમાં 1.52% અને રિયલ્ટીમાં 1.12%ની તેજી જોવા મળી હતી. બેંક, ફાઇનાન્શિયલ સર્વિસીઝ, FMCG અને પ્રાઇવેટ બેંક સેક્ટરમાં સામાન્ય તેજી જોવા મળી હતી. ફક્ત IT અને ફાર્મા સેક્ટરમાં ઘટાડો થયો હતો.

સોમવારે પણ તેજી સાથે બંધ થયું હતું બજાર
આ અગાઉ શેર બજારમાં અઠવાડિયાનો પહેલો કારોબારી દિવસ, એટલે સોમવારે(30 જાન્યુઆરી) તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 169 પોઇન્ટની તેજી સાથે 59,500ના સ્તર પર બંધ થયું હતું. ત્યારે નિફ્ટી 44 પોઇન્ટની તેજી સાથે 17,648 સ્તર પર પહોંચી ગયું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow