સેન્સેક્સ 294 પોઈન્ટ ઘટીને 62,848 પર બંધ

સેન્સેક્સ 294 પોઈન્ટ ઘટીને 62,848 પર બંધ

ગુરુવારે (8 જૂન) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 294 પોઈન્ટ ઘટીને 62,848 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 91 પોઈન્ટ ઘટીને 18,634ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 ઘટ્યા અને 6 વધ્યા. એનટીપીસીનો શેર આજે 3.10% વધ્યો છે.

બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએનસીજી, મીડિયા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટર નુકસાન સાથે બંધ થયા છે. માત્ર એનર્જી અને મેટલ્સ સેક્ટરના શેરમાં જ વધારો થયો હતો. આજે યુએસ ડોલર સામે રૂપિયો 5 પૈસા નબળો પડીને રૂ.82.57 પર બંધ રહ્યો હતો. બુધવારે તે રૂ.82.52 પર બંધ થયો હતો.

L&T ફાઇનાન્સે ડિવિડન્ડ જાહેર કર્યું
L&T ફાઇનાન્સની બોર્ડ મીટિંગમાં ડિરેક્ટરોએ શેરધારકોને શેર દીઠ રૂ. 2નું ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આજે, L&T ફાઇનાન્સ હોલ્ડિંગના શેરમાં રૂ. 1.90 એટલે કે 1.77%નો ઘટાડો જોવા મળ્યો છે. આ પછી તે રૂ.105.65 પર બંધ થયો.

રેપો રેટ 6.50% પર યથાવત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે રેપો રેટમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે વ્યાજ દર 6.50% પર રહેશે. આરબીઆઈએ સતત બીજી વખત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow