બચત પણ મહિલાઓની અને ધિરાણ પણ મહિલાઓને જ

બચત પણ મહિલાઓની અને ધિરાણ પણ મહિલાઓને જ

બહેનો પગભર થાય એ માટે રાજકોટની રાણી લક્ષ્મીબાઈ શરાફી સહકારી મંડળી લિમિટેડ મહિલાઓ દ્વારા સંચાલિત છે અને મહિલાઓ માટે કામ કરે છે. જેમાં બચત પણ મહિલાઓની જ સ્વીકારાય છે અને ધિરાણ પણ મહિલોને જ અપાય છે. 2015માં આ મંડળી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં રૂપિયા 40 કરોડનું આર્થિક ધિરાણ કરી ચૂકી છે.

બહેનો પોતાના નાણાં મૂકી પણ જાય અને આ ભંડોળમાંથી જે બહેનોને જરૂર હોય તેને આર્થિક ધિરાણ પણ કરવામાં આવે છે. આ મંડળીના તમામ ડિરેક્ટરો પણ મહિલાઓ જ છે. કુલ 15 ડિરેક્ટર છે જ્યારે કર્મચારીની સંખ્યા પણ 15 છે. આ મંડળીમાંથી આર્થિક ધિરાણ મેળવીને અનેક બહેનો પગભર બની છે. તો કોઈ બહેનો પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કરી શક્યા છે.

બચત મેનેજમેન્ટ | સામાન્ય રીતે બેન્કમાંથી ધિરાણ મેળવવા માટે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડે છે, પરંતુ અહીં કોઈ એવી પ્રક્રિયા કરવી પડતી નથી. દર શનિવારે અને બુધવારે જે બહેનોને નાણાંની જરૂરિયાત છે તેમને શું કામ ને નાણાં જોઈ છે, એની પૂછપરછ કરવામાં આવે છે. ત્યાર બાદ જ તેને આર્થિક ધિરાણ કરવામાં આવે છે.

સામાજિક બદલાવ- આ મંડળીનો પાયો પુરુષે નાખ્યો, બહેનોની મુશ્કેલી ખુદ સાંભળે છે
એવું કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ મહિલાનો હાથ હોય છે, પરંતુ રાણી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી લિમિટેડમાં આ કહેવત ખોટી પડી છે. સમાજના દરેક વર્ગની મહિલાઓ આગળ આવે એ માટે આ મંડળીની શરૂઆત અશોકભાઈ સોલંકીએ કરી છે.

તેઓ મૂળ વ્યવસાયે શિક્ષક હતા. જરૂરિયાતમંદ લોકોની સેવા થાય એ માટે તેમણે આ નોકરી છોડી દીધી. ઔદ્યોગિક એકમમાં ચાલતી મંડળીના મંત્રી તરીકે ફરજ નિભાવાની શરૂઆત કરી. ત્યારે પોતાના અનુભવ પરથી તેણે જોયું કે ઉછીના લીધેલા નાણાં મહિલાઓ સમયસર પરત કરે છે પરંતુ તેને લોન, આર્થિક સહાય મેળવવા બહુ હેરાન થવું પડે છે.

અને વ્યાજે પૈસા લેવા પડે છે. આથી તેમણે આઈઓસીના પરિસરમાં મંડળીની શરૂઆત કરી. જેમાં બે મહિલાઓને લોન આપી હતી. જે બહેનો લોન લેવા આવે તેની ખુદ તે પૂછપરછ કરે છે. ત્યાર બાદ જ આર્થિક ધિરાણ કરે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow