બચત પણ મહિલાઓની અને ધિરાણ પણ મહિલાઓને જ

બચત પણ મહિલાઓની અને ધિરાણ પણ મહિલાઓને જ

બહેનો પગભર થાય એ માટે રાજકોટની રાણી લક્ષ્મીબાઈ શરાફી સહકારી મંડળી લિમિટેડ મહિલાઓ દ્વારા સંચાલિત છે અને મહિલાઓ માટે કામ કરે છે. જેમાં બચત પણ મહિલાઓની જ સ્વીકારાય છે અને ધિરાણ પણ મહિલોને જ અપાય છે. 2015માં આ મંડળી શરૂ થઈ હતી અને અત્યાર સુધીમાં રૂપિયા 40 કરોડનું આર્થિક ધિરાણ કરી ચૂકી છે.

બહેનો પોતાના નાણાં મૂકી પણ જાય અને આ ભંડોળમાંથી જે બહેનોને જરૂર હોય તેને આર્થિક ધિરાણ પણ કરવામાં આવે છે. આ મંડળીના તમામ ડિરેક્ટરો પણ મહિલાઓ જ છે. કુલ 15 ડિરેક્ટર છે જ્યારે કર્મચારીની સંખ્યા પણ 15 છે. આ મંડળીમાંથી આર્થિક ધિરાણ મેળવીને અનેક બહેનો પગભર બની છે. તો કોઈ બહેનો પોતાનો અભ્યાસ પણ પૂર્ણ કરી શક્યા છે.

બચત મેનેજમેન્ટ | સામાન્ય રીતે બેન્કમાંથી ધિરાણ મેળવવા માટે અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. અને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડે છે, પરંતુ અહીં કોઈ એવી પ્રક્રિયા કરવી પડતી નથી. દર શનિવારે અને બુધવારે જે બહેનોને નાણાંની જરૂરિયાત છે તેમને શું કામ ને નાણાં જોઈ છે, એની પૂછપરછ કરવામાં આવે છે. ત્યાર બાદ જ તેને આર્થિક ધિરાણ કરવામાં આવે છે.

સામાજિક બદલાવ- આ મંડળીનો પાયો પુરુષે નાખ્યો, બહેનોની મુશ્કેલી ખુદ સાંભળે છે
એવું કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ મહિલાનો હાથ હોય છે, પરંતુ રાણી લક્ષ્મીબાઈ મહિલા શરાફી સહકારી મંડળી લિમિટેડમાં આ કહેવત ખોટી પડી છે. સમાજના દરેક વર્ગની મહિલાઓ આગળ આવે એ માટે આ મંડળીની શરૂઆત અશોકભાઈ સોલંકીએ કરી છે.

તેઓ મૂળ વ્યવસાયે શિક્ષક હતા. જરૂરિયાતમંદ લોકોની સેવા થાય એ માટે તેમણે આ નોકરી છોડી દીધી. ઔદ્યોગિક એકમમાં ચાલતી મંડળીના મંત્રી તરીકે ફરજ નિભાવાની શરૂઆત કરી. ત્યારે પોતાના અનુભવ પરથી તેણે જોયું કે ઉછીના લીધેલા નાણાં મહિલાઓ સમયસર પરત કરે છે પરંતુ તેને લોન, આર્થિક સહાય મેળવવા બહુ હેરાન થવું પડે છે.

અને વ્યાજે પૈસા લેવા પડે છે. આથી તેમણે આઈઓસીના પરિસરમાં મંડળીની શરૂઆત કરી. જેમાં બે મહિલાઓને લોન આપી હતી. જે બહેનો લોન લેવા આવે તેની ખુદ તે પૂછપરછ કરે છે. ત્યાર બાદ જ આર્થિક ધિરાણ કરે છે.

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow