રાજકોટમાં 150 પરિવારને વિખૂટાં પડતાં બચાવ્યાં, હવે અકસ્માત અટકાવવા વાહનચાલકોને સમજાવશે

રાજકોટમાં 150 પરિવારને વિખૂટાં પડતાં બચાવ્યાં, હવે અકસ્માત અટકાવવા વાહનચાલકોને સમજાવશે

નાની-નાની વાતમાં ઘર-પરિવારમાં સાસુ-વહુ, ભાઈ- ભાઇ, પતિ-પત્ની, તેમજ દેરાણી-જેઠાણી વચ્ચે ઝઘડા થતા હોય છે. ત્યારે રાજકોટની સાથ સેવા સંગઠન નામની સામાજિક સંસ્થાએ છેલ્લા 10 મહિનામાં અનેક લોકોની સમસ્યા સાંભળી તેનું સમાધાન આપ્યું છે. અને આ રીતે 150થી વધુ પરિવારનો માળો વિખેરાતા બચાવ્યો છે. આ સંસ્થાના એક સભ્યએ તાજેતરમાં સવારે અમીન માર્ગ પર વિદ્યાર્થીનો અકસ્માત થતા જોયો હતો. ત્યારે અકસ્માતો અટકે તે માટે જાહેર માર્ગો પર ઊભા રહીને વાહનચાલકોને સમજાવશે. આ સંસ્થામાં કુલ 100 સભ્ય છે. અકસ્માતો અટકે તે માટે એક સભ્યએ પોતાનો વિચાર મૂક્યો અને અન્ય 99 સભ્યે તેને વધાવી લીધો.

આ અંગે વધુ માહિતી આપતા સંસ્થાના સભ્ય જણાવે છે કે, તેઓ જ્યારે મોર્નિંગ વોકમાં જાય છે. ત્યારે જોવામાં આવ્યું છે વાહનચાલકો વધુ સ્પીડમાં અથવા તો રોંગ સાઇડમાં વાહન ચલાવતા હોય છે. આ સમયે રોડ પર વિદ્યાર્થીઓ સાઇકલ અથવા તો ટુ- વ્હિલર લઈને જતા હોય છે અને અકસ્માતનો ભોગ તેઓ બને છે. આમ ઓવર સ્પીડના કારણે અકસ્માતો અટકે તે માટે આ સંસ્થા આગામી દિવસોમાં એક રેલીનું આયોજન કરશે. ત્યાર બાદ અઠવાડિયામાં એકવાર દર 50થી 100 મીટરના અંતરે સભ્યો વાહન ધીમે ચલાવો, કાળજી રાખો જેવા વાક્યો લખીને હાથમાં બોર્ડ-બેનર લઈને ઊભા રહેશે. આ માટે પોલીસ વિભાગ, તેમજ યુવાનો, સહિત અન્ય સામાજિક આગેવાનોને સાથે રાખીને અભિયાન કરશે.

રૂબરૂ ઉપરાંત ટેલિફોનિક હેલ્પલાઈન પણ શરૂ કરાઈ, મહિલા સભ્ય પણ કરે છે કાઉન્સેલિંગ
આ સંસ્થામાં કુલ 100 સભ્ય છે. જેમાં યુવાન, નોકરિયાત, વિદ્યાર્થી, ગૃહિણી, ઉદ્યોગપતિ, ડોક્ટર, વકીલ, સીએ વગેરેનો સમાવેશ થાય છે. જો કોઈ મહિલાના પ્રશ્ન આવે તો તેનું કાઉન્સેલિંગ બહેનો કરે છે. જેથી તેઓ ખૂલીને પોતાની વાતચીત કરી શકે. રૂબરૂ સાંભળવા ઉપરાંત 9825033606 હેલ્પલાઈન પણ જાહેર કરી છે. જો કોઈ અરજદાર પોતાની ઓળખ છુપાવી માગે તો તેનું ટેલિફોનિક કાઉન્સેલિંગ કરાય છે.

કિસ્સો - યુવતીને પોતાની ભૂલ સમજાઈ
યુપીએસસીની તૈયારી કરતી એક યુવતીને અભ્યાસ અર્થે બીજા શહેરમાં જવું હતું. પરિવારે અભ્યાસ અર્થે બહાર જવા દેવાનું ટાળ્યું હતું. જેથી યુવતીને લાગી આવ્યું. ઉપરાંત તેના માતા-પિતાએ તેના ભાઈના લગ્ન ધામધૂમથી કર્યા. તો યુવતીને વધારે દુ:ખ થયું. આથી, યુવતીને લાગવા માંડ્યું કે તેના માતા-પિતા તેને પ્રેમ નથી કરતા. યુવતીનું ત્રણ વખત કાઉન્સેલિંગ કર્યુ. સમજાવ્યું કે તેના માતા-પિતા સાથે એકવાર ખૂલીને ચર્ચા કરે. યુવતીએ તેના માતા-પિતા સાથે વાત કરી તો તેને કહ્યું કે, તારી સુરક્ષાને કારણે તને બીજા શહેરમાં અભ્યાસ કરવા જવા દેવા માટે ટાળ્યું. પરંતુ જો તારી ઈચ્છા હોય તો કાલે જ તને મનગમતી સંસ્થામાં એડમિશન કરાવીએ. આમ, યુવતીને પોતાની ભૂલનું ભાન થયું અને તેને માતા-પિતા પાસે માફી માગી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow