બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરી સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકરો પરત

બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર કરી સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકરો પરત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પ્રથમ તબક્કામાં મતદાન યોજાયું હતું, મતદાન પૂરું થતાં જ ભાજપના આ વિસ્તારના કાર્યકરો બીજા તબક્કાના ભાજપના ઉમેદવારોના પ્રચાર અર્થે નીકળી ગયા હતા અને પ્રચારનું કામ પૂર્ણ કરી રવિવારે સાંજે પરત આવી ગયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન તા.1 ડિસેમ્બરે યોજાયું હતું, પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મતદાન થયું હતું, બૂથ સુધીનું સંગઠન ધરાવતા ભાજપના કાર્યકરોએ પ્રથમ તબક્કાની ચૂંટણીમાં પોતાના મતક્ષેત્રમાં પાર્ટીને જીત અપાવવા માટે ઉમેદવાર જાહેર થયા બાદ કાર્યકરો પ્રચારમાં વળગી ગયા હતા અને અંદાજે પંદરેક દિવસ સુધી ઘર ઘર સુધી જઇને પાર્ટીનો પ્રચાર કર્યો હતો.

તા.1ના સાંજે 5 વાગ્યે મતદાન પૂરું થયા બાદ તમામ પાર્ટીના કાર્યકરોએ રાહતનો દમ લીધો હતો. ત્રણ દિવસ પોતાને સોંપાયેલા મતક્ષેત્રમાં જઇ પ્રચાર કર્યા બાદ તા.4ના સાંજે બહારના તમામ કાર્યકરો મતક્ષેત્ર છોડીને પરત પોતાના શહેર જતા રહ્યા હતા. તા.5ને સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે અને તા.8ના મત ગણતરી થવાની છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow