સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

સૌરાષ્ટ્રના પ્રખ્યાત સળગતી ઈંઢોણીના રાસની તૈયારી શરૂ

ગુજરાતના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ખેલૈયાઓએ અત્યારથી જ ગરબાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં શેરી ગરબામાં ગરબે રમતી બાળાઓએ પ્રેકટિસ શરૂ કરી દીધી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા સળગતી ઈંઢોણીના રાસની પણ બાળાઓ દ્વારા હાલ તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. રાજકોટના મવડી વિસ્તારમાં બાળાઓ હાલ માથા પર સળગતી ઈંઢોણી અને હાથમાં સળગતી મશાલ સાથે રાસના સ્ટેપ્સ શીખી રહી છે.

રાજકોટમાં અર્વાચીન રાસોની ઝાકમઝાળ વચ્ચે પણ પ્રાચીન ગરબીનુ મહત્વ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે સળગતી ઇંઢોણીનો રાસ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. હાલ આ જ રાસ માટે બાળાઓ પ્રેક્ટિસ પણ કરી રહી છે. મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા 18 વર્ષથી ગરબી મંડળનું તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે. જેમાં નવરાત્રીના નવે'ય દિવસ અહીં હજ્જારોની સંખ્યામાં ભાવિકો ગરબે ઘૂમતી બળાઓને નિહાળી આદ્યશક્તિની આરાધનામાં લીન બને છે.

શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઇંઢોણી રાસ યોજાય છે. રાસની વિશેષતા એ છે કે તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઇંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે તેમજ તે વેળાએ માતા દુર્ગાની પ્રચંડ શકિત આ બાળાઓમાં હોય તેવો અહેસાસ આ રાસ જોનાર દરેક વ્યક્તિને પણ થાય છે. આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર અને હાથમાં મશાલ તરીકે ધારણ કરે છે. હાલ આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેકટીસ કરતી બાળાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow