આ વર્ષે વેચાણના રેકોર્ડ તૂટશે

આ વર્ષે વેચાણના રેકોર્ડ તૂટશે

1 એપ્રિલથી શરૂ થનારું નવું નાણાવર્ષ માર્કેટ માટે લાભદાયક સાબિત થઇ શકે છે. વિશ્લેષકો અનુસાર રિટેલ માર્કેટમાં મજબૂતી, એક પછી એક IPL, ગ્રામીણ માંગમાં સારા સંકેતથી વેચાણ ત્રણ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી શકે છે. કંપનીઓએ આ તક ઝડપવા માટે ગ્રાહકોને આકર્ષિત કરવા કમર કસી છે.

કંપનીઓના ઇરાદા દર્શાવે છે કે આગામી ક્વાર્ટરમાં પ્રચાર-પ્રસાર માટે મોટો ખર્ચ કરશે. કોમ્યુનિકેશન એજન્સી મેડિસન વર્લ્ડના ચેરમેન સેમ બલસારા કહે છે કે ભારતીય અર્થતંત્ર ફરીથી મજબૂત વાપસી જોવા માટે તૈયાર છે કારણ કે આ વર્ષે અનેક કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવતી ઇન્ડસ્ટ્રીના ફરીથી ઉદયની શક્યતા છે. મહામારી વખતે ઇન્ડસ્ટ્રીને ફટકો પડ્યો હતો. ગ્રામીણ માંગમાં ફરીથી તેજીના સંકેતો અને ટૂરિઝમમાં તેજીથી કંપનીઓ જાહેરાતો પાછળ પણ જંગી ખર્ચ કરી રહી છે. ગોદરેજ, કોકાકોલા, ડાબર, મારુતિ, બિસલરી, લોટસ હર્બલ્સ અને હિટાચીના સીઈઓએ પણ કહ્યું છે કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેમનું વેચાણ વધવાની શક્યતા છે. એટલે જ જાહેરાત અને માર્કેટિંગ પાછળ વધુ ખર્ચ કરશે.

આ વખતે અત્યારથી ગરમી વધી છે અને માર્કેટમાં પ્રોડક્ટ્સની માંગ વધી છે. કેટલાક સીઈઓના મતે આ તકનો લાભ ઉઠાવવા માટે જાહેરાત ખર્ચમાં વધારો, પ્રોડક્ટ્સના પ્રચારને વધુ તર્કસંગત બનાવવો તેમજ પાવર બ્રાન્ડ્સ બનાવવા પર ફોકસ કરવાનું રહેશે. વિશ્લેષકોના મતે પોતાના એક તૃતીયાંશ વેચાણ માટે ગ્રામીણ માંગ પર નિર્ભર એફએમસીજી કંપનીઓને આશા છે કે જાહેરાત પર વધુ ખર્ચથી વેચાણ વધશે અને નવા ગ્રાહકો પણ મળશે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow