રશિયા : વોરોનેઝ પરમાણુ ભંડાર કબજે કરી યેવગેનીએ રાષ્ટ્રપતિ પુટિનને ઝૂકાવ્યા

રશિયા : વોરોનેઝ પરમાણુ ભંડાર કબજે કરી યેવગેનીએ રાષ્ટ્રપતિ પુટિનને ઝૂકાવ્યા

રશિયામાં વેગનર જૂથના વડા યેવગેની પ્રિગોઝિન રોસ્તોવ-ઓન-ડેન શહેરમાંથી નીકળ્યા પછી ક્યાં ગયા તે અંગે કોઈ જાણતું નથી. આ મુદ્દે મધ્યસ્થી કરનાર બેલારુસે પણ યેવગેની અંગે જાણકારીનો ઇનકાર કર્યો છે. હવે મીડિયા રિપોર્ટ્સમાં ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, યેવગેનીને શનિવારે મોસ્કોથી લગભગ 500 કિમી દૂર સ્થિત વોરોનેઝ શહેરના પરમાણુ ભંડારને કબજે કર્યો હતો. જે બાદ રશિયા સેના બચાવની સ્થિતિમાં આવી ગઇ હતી અને પુતિને વાતચીત માટે સહમત થવું પડ્યું. તે પછી બેલારુસના રાષ્ટ્રપતિ એલક્ઝાન્ડર લુકાશેન્કોએ પ્રિગોઝિનને સમાધાન માટે સમજાવ્યા હતા.

રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, યેવગેનીની ‘મોસ્કો જસ્ટિસ માર્ચ’ માત્ર ધ્યાન ભટકાવવા માટે હતી. તે ક્યારેય મોસ્કો જવા માંગતા ન હતા, તે માત્ર વોરોનેઝમાં પરમાણુ ભંડાર સુધી પહોંચવા માંગતા હતા. જ્યારે પરમાણુ હથિયારો મળી આવ્યાં તો તેણે ઓપરેશન બંધ કર્યું હતું. બીજી તરફ અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને દાવો કર્યો છે કે, રશિયામાં વેગનરનો મામલો હજુ ખતમ નથી થયો છે.

રશિયા એક્શનમાં : યેવગેની સામેના કેસોની તપાસ શરૂ કરી
રશિયામાં સોમવારથી પુટિનની છબી પુનઃસ્થાપિત કરવાની ઝુંબેશ તેજ થઈ ગઈ. સંરક્ષણ પ્રધાન સેરગેઈ શોઇગુ પ્રથમ વખત લશ્કરી બેઠકોમાં દેખાયા હતા, જ્યારે પ્રિગોઝિને સોદાના ભાગ રૂપે તેમને દૂર કરવાની માંગ કરી હતી. તે જ સમયે, રશિયન એજન્સીઓએ પ્રિગોઝિન સામેના કેસોની તપાસ કરવાનું શરૂ કર્યું, ક્રેમલિને વચન આપ્યા પછી કે તેના પર કાર્યવાહી કરવામાં આવશે નહીં. રશિયાના પીએમએ લોકોને પુટિન સાથે એક થવાની અપીલ કરી. પુટિને ઉદ્યોગપતિઓના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ બેઠક તુલા શહેરમાં થઈ હતી, જે તેના દારૂગોળાના ડેપો માટે જાણીતું છે, જેને વેગનર લડવૈયાઓએ શનિવારે કબજે કર્યું હતું.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow