RTOનો ટ્રેક બે દિવસથી બંધ, 500થી વધુ એપોઇન્ટમેન્ટ રદ

RTOનો ટ્રેક બે દિવસથી બંધ, 500થી વધુ એપોઇન્ટમેન્ટ રદ

રાજકોટ આરટીઓમાં છેલ્લા બે દિવસથી ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકમાં ટેક્નિકલ ખામી હોવાને કારણે બંધ કરી દેવાયો છે. હજુ પણ આ ટેક્નિકલ ખામી ક્યારે સોલ્વ થશે તે હજુ અનિશ્ચિત હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસથી ટ્રેક બંધ હોવાને કારણે ટુ વ્હિલર અને ફોર વ્હિલરની 500થી વધુ એપોઇન્ટમેન્ટ હાલ રદ કરવી પડી છે. હવે જ્યારે ટ્રેક શરૂ થશે ત્યારે સૌથી પહેલા જે અરજદારોની અગાઉની એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવી છે તેમને તારીખ આપવામાં આવશે.

સોફ્ટવેરમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતા ટેસ્ટ બંધ કરવાની ફરજ પડી છે જેના કારણે બે દિવસમાં અંદાજે 500 કરતા વધુ ટેસ્ટ રદ કરવા પડ્યા છે. ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેરને અગાઉ જે કંપની દ્વારા ટેક્નિકલ સપોર્ટ આપવામાં આવતો હતો તે છેલ્લા 4 વર્ષથી કોન્ટ્રાક્ટ રિન્યૂ ન થતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આખરે સોફ્ટવેર આધારિત સમગ્ર વ્યવસ્થા ખોરવાતા રાજકોટ RTOએ ડ્રાઇવિંગ ટેસ્ટ બંધ કરી દેવાની ફરજ પડી છે. સરકારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાતા સોફ્ટવેર માટે કોઈ જ ટેક્નિકલ સપોર્ટની વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરતા આ સ્થિતિ સર્જાઈ છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow