રતનપર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈ 150 વિદેશી વિદ્યાર્થીનું ચેકિંગ

રતનપર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈ 150 વિદેશી વિદ્યાર્થીનું ચેકિંગ

રાજકોટ-મોરબી રોડ પર રતનપર ગામ નજીક વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાની વારંવાર મળતી ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOGએ સર્ચ કર્યું હતું. પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી રતનપર, હડાળા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાસપોર્ટ અને વિઝા ચેક કરી NCBને સાથે રાખી સર્ચ કરવામાં આવ્યુંછે. જેમાં શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. કુલ 150 જેટલા વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી છે.

ગ્રામજનો ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ કરતા: SOG રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સવારથી વિદેશી વિદ્યાર્થીઓ અંગે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદેશી વિદ્યાર્થીઓ મોરબી રોડ પર રતનપર, હડાળા, ગૌરીદળ અને જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા હોવાની માહિતી છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની ફરિયાદ વારંવાર ગ્રામજનો દ્વારા કરવામાં આવતી હોવાથી આજે NCB ટીમને સાથે રાખી અલગ અલગ 6 ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદેશી નાગરિકના પાસપોર્ટ અને વિઝા વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow