'RRR'એ રૂ. 1155 કરોડની કમાણી કરતા જ રામ ચરણની ફી ડબલ! હવે માત્ર એક ફિલ્મના લે છે આટલા કરોડ

'RRR'એ રૂ. 1155 કરોડની કમાણી કરતા જ રામ ચરણની ફી ડબલ! હવે માત્ર એક ફિલ્મના લે છે આટલા કરોડ

તેલુગુ ફિલ્મ RRRની સફળતા બાદ રામ ચરણની માંગ વધી

તેલુગુ ફિલ્મ RRRની સફળતા બાદ રામ ચરણની માંગ વધી રહી છે. રિપોર્ટસ મુજબ, તેમની ડિમાન્ડ વધી છે, પરંતુ તેમણે પોતાની ફીમાં પણ વધારો કર્યો છે. હવે તેઓ આ મામલે અક્ષય કુમાર, પ્રભાસ અને અન્ય મોટા સેલિબ્રિટીઓની ક્લબમાં સામેલ થઇ ગયા છે. મજાની વાત એ છે કે જો આ ફીની તુલના તેમની પહેલાની ફિલ્મ RRR માટેના પગારથી કરીએ તો આ ડબલથી પણ વધુ છે.

RRR માટે મળ્યાં હતા આટલા કરોડ

રિપોર્ટસ મુજબ, રામ ચરણને RRR માટે લગભગ 45 કરોડ રૂપિયા આપ્યા હતા. જણાવાઈ રહ્યું છે કે ફિલ્મ માટે તેમણે જે મહેનત કરી અને જે સમય આપ્યો છે, તેની દ્રષ્ટિએ જે રકમ તેમને મળી, તેઓ તે ડિઝર્વ કરે છે. RRRની સફળતા બાદ રામ ચરણ પોતાની આગામી ફિલ્મની શૂટિંગ પર લાગી ગયા છે, જેને શંકર ડાયરેક્ટ કરી રહ્યાં છે અને તેની સામે તેમાં કિયારા અડવાણી મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ માટે તેમને જે ફી તરીકે રકમ મળી રહી છે, તે ચોંકાવનારી છે.

હવે એક ફિલ્મ માટે આ છે ફી

ટ્રેકટૉલીવુડ નામની એક વેબસાઈટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે રામ ચરણે પોતાની ફી વધારી દીધી છે અને તેમણે અપકમિંગ ફિલ્મો માટે 100 કરોડ ચાર્જ તરીકે લેવાના શરૂ કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે શંકરની ફિલ્મ પણ આ અંતર્ગત હશે. એટલું જ નહીં, દાવો એવો પણ કરાઈ રહ્યો છે કે રામ ચરણની આટલી મોટી ડિમાન્ડને જોઇને તેમની ફિલ્મોનુ બજેટ વધી રહ્યું છે, પરંતુ નિર્માતાને તેનાથી કોઈ વાંધો નથી. રિપોર્ટસ મુજબ, રામ ચરણ શંકરની ફિલ્મ સિવાય બુચ્ચી બાબુની પણ આગામી ફિલ્મ કરી રહ્યાં છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow