પાવાગઢમાં પવન સાથે ધોધમાર વરસાદ થતાં રોપ-વે સેવા બંધ

પાવાગઢમાં પવન સાથે ધોધમાર વરસાદ થતાં રોપ-વે સેવા બંધ

પંચમહાલ જિલ્લામાં છેલ્લા પંદર દિવસથી વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે ચોમાસાએ જમાવટ કરી દીધી છે. હાલોલ તાલુકાના યાત્રાધામ પાવાગઢ ખાતે ચોમાસુ શરૂ થતાં જ આહ્લાદક દ્રશ્યો સર્જાયા છે. વાદળો જાણે ડૂંગરો સાથે વાતચીત કરતા હોય કે પ્રવાસી સાથે અથડાતા વાદળો ભીંજવાતા હોવાની મઝા પ્રવાસીઓ માણવા ઉમટી રહ્યાં છે. ત્યારે શુક્રવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતાં પ્રવાસીઓને આનંદની સાથે સજા પણ થઇ હતી. સંચાલકો દ્વારા સલામતીના ભાગરૂપે રોપવે સેવા બંધ કરવામાં આવી હતી. જયારે વરસાદના પગલે પાણી પગથિયા ઉપર પડતાં યાત્રિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જોકે મુશ્કેલીની સાથે સાથે યાત્રીકોએ તેનો આનંદ પણ ઉઠાવ્યો હતો.

સલામતીના ભાગરૂપે રોપવે સેવા બંધ કરવામાં આવી
પાવાગઢમાં સવારથી ધોધમાર વરસાદને પગલે મંદિરના પગથિયા પરથી ભારે પાણી નો પ્રવાહ વહેતો થતા યાત્રાળુઓ ને ચડવા ઉતરવામાં ભારે તકલીફ નો સામનો કરવો પડ્યો હતો. પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસ્તા પાવાગઢના પગથિયાં પર પાણી વહેતુ થયું પાવાગઢમાં વહેતા પાણીના અદભૂત ધોધ ના દ્રશ્યો સાથે રમણીય નજારો સર્જાયો હતો ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા રોપ-વે સેવા બંધ કરવાની ફરજ પડી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow