ફૂટબોલ વર્લ્ડ કપમાં હાર બાબતે બેલ્જિયમમાં રમખાણો

ફૂટબોલ વર્લ્ડ કપમાં હાર બાબતે બેલ્જિયમમાં રમખાણો

કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં મોરોક્કો સામે 2-0થી હાર્યા બાદ બેલ્જિયમમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રાજધાની બ્રસેલ્સમાં ચાહકોએ તોડફોડ કરી અને વાહનોને સળગાવી દીધા હતા.

રોષે ભરાયેલા ચાહકોને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ અને વોટર કેનનનો ઉપયોગ કરવો પડ્યો હતો. એક પોલીસકર્મીએ જણાવ્યું કે 12 લોકોની અટકાયત કરવામાં આવી છે. કેટલાક લોકો હાથમાં લાકડીઓ લઈને તોડફોડ કરી રહ્યા હતા. કેટલાક વિરોધીઓએ કાર અને કેટલાક ઇલેક્ટ્રિક સ્કૂટરને આગ લગાવી દીધી હતી. ઘણી જગ્યાએ તોફાનો થયા છે.

રવિવારે રમાયેલી મેચમાં વિશ્વની નંબર બે ટીમ બેલ્જિયમ એક પણ ગોલ કરી શકી ન હતી. તેને 22માં નંબરની ટીમ મોરોક્કોએ 2-0થી હરાવ્યું હતું. મેચ સબ્સ્ટિટ્યુશનમાં આવેલા ખેલાડીઓના નામે રહી. 69મી મિનિટે પિચ પર આવેલા અબ્દેલહામિદ સાબિરીએ 73મી મિનિટે ગોલ કર્યો હતો. જ્યારે, 73મી મિનિટે આવેલા ઝકરિયા અબુબખલે સ્ટોપેજ ટાઈમમાં ગોલ કર્યો હતો. બેલ્જિયમ ગોલનું ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યું હતું.

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow
વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow