રિટેલ ફુગાવો ઓગસ્ટમાં ઘટીને 6.83% નોંધાયો

રિટેલ ફુગાવો ઓગસ્ટમાં ઘટીને 6.83% નોંધાયો

મોંઘવારીથી પરેશાન સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે. જુલાઇમાં રિટેલ ફુગાવો 7.44% સાથે 15 મહિનાના સર્વાધિક સ્તરે રહ્યા બાદ ઓગસ્ટમાં તે ઘટીને 6.83% નોંધાયો છે. ઓગસ્ટમાં શાકભાજીની કિંમતોમાં ઘટાડાને કારણે રિટેલ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. જો કે હજુ પણ તે RBIના નિર્ધારિત લક્ષ્ય કરતાં વધુ છે. ખાદ્યપદાર્થોનો ફુગાવો જુલાઇના 11.51%ની તુલનાએ ઓગસ્ટમાં ઘટીને 9.94% રહ્યો છે.

ઓગસ્ટ 2022 દરમિયાન CPI આધારિત રિટેલ ફુગાવો 7 % હતો. ઓગસ્ટમાં શાકભાજીનો મોંઘવારી દર ઘટીને 26.14% રહ્યો છે જે જુલાઇ દરમિયાન 37.4% હતો. ઓઇલ અને ફેટ પ્રોડક્ટ્સના ફુગાવાનો દર -15.28 ટકા રહ્યો છે જે જુલાઈમાં -16.80 ટકા હતો. હાઉસિંગ સેક્ટરમાં મોંઘવારી દર 4.38% અને ઇંધણનો મોંઘવારી દર 4.31% હતો. કોર ફુગાવો પણ જુલાઇના 5.12%થી ઓગસ્ટમાં આંશિક સ્તરે ઘટીને 5.06% નોંધાયો છે.

સતત ત્રીજા મહિને તેમાં ઘટાડાનો ટ્રેન્ડ રહ્યો છે. આરબીઆઇએ વર્ષ 2023-24 માટે CPI ફુગાવો 5.4% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. પહેલા ક્વાર્ટર માટે ફુગાવો 5.2% રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

Read more

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow
ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં

કુશળ અને સામાજિક રીતે જાગૃત ડોક્ટરો સમાજમાં મોટું પરિવર્તન લાવવાની શક્તિ ધરાવે છે: રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ રાજકોટ એઇમ્સની એમ.બી

By Gujaratnow