2030 સુધીમાં ઉછેર કરવાનો લીધો સંકલ્પ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 'ટ્રિલિયન ટ્રી પ્લેટફોર્મ' પર કરી જાહેરાત

2030 સુધીમાં ઉછેર કરવાનો લીધો સંકલ્પ, વર્લ્ડ ઇકોનોમિક ફોરમના 'ટ્રિલિયન ટ્રી પ્લેટફોર્મ' પર કરી જાહેરાત

અદાણી ગ્રૂપ કે જે ભારતમાં ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે. અદાણી ગ્રૂપે એક પ્રતિજ્ઞા લીધી છે, જેમાં ગ્રૂપે કહ્યું છે કે તેઓ 2023 સુધીમાં 100 મિલિયન વૃક્ષ ઉછેરશે. આ પ્રતિજ્ઞા વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ’’ટ્રિલિયન ટ્રી પ્લેટફોર્મ’’ 1t.org ઉપર કરવામાં આવી છે. ભારતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સંકલ્પ છે. આ 100 મિલિયનમાં મેન્ગ્રોવ્સ તેમજ પાર્થિવ વૃક્ષોનો સમાવેશ થશે.  

અદાણી ગ્રૂપના ચેરમેને લીધો સંકલ્પ

વાતાવરણમાંથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ દૂર કરીને આબોહવા પરિવર્તનને મંદ કરવાનો આ વિશાળ ટ્રિલિયન વૃક્ષ ચળવળનો ઉદ્દેશ્ય છે, જે આબોહવા, જૈવવિવિધતા અને SDGs તરફની ખૂબ જ જરૂરી પ્રગતિ માટે પ્રદાન આપે છે.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, 'એક ટ્રિલિયન વૃક્ષો વાવવાની 1t.orgની મહત્વાકાંક્ષાનો તીવ્ર સ્કેલ ફક્ત પ્રેરણાદાયી છે એટલું જ નહીં પણ તે માનવતાની સ્થિતિસ્થાપકતાનું પ્રતિબિંબ છે અને સમાન વિચારધારા ધરાવતા લોકોની સામૂહિક શક્તિથી ભગીરથ લક્ષ્યને હાંસલ કરવા માટે લડવા માટે સંકલ્પબદ્ધ છે''.

"હરિયાળા વિશ્વના નિર્માણ માટે જમીનનું ધોવાણ ઘટાડવું જરૂરી છે અને 'આ સંદર્ભમાં, પેરિસ COP 21 ખાતે ભારતે વધારાના ૨.૫-૩.૦ અબજ ટન CO2ના કાર્બન સિંકના નિર્માણ કરી અગ્રસ્થાન પ્રાપ્ત કરવા જાહેર કરેલી પ્રતિબધ્ધતાના એક ભાગ તરીકે હું વચન આપું છું કે અદાણી સમૂહ 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષોનું વાવેતર કરશે’’

શું છે 1t.org
1t.org એ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની પહેલ છે જે 2030 સુધીમાં 1 ટ્રિલિયન વૃક્ષોના સંરક્ષણ, ઉછેર અને પુનઃસ્થાપન કરવા માટે વૈશ્વિક ચળવળને સહયોગ આપે છે. 1t.orgની સ્થાપના ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન પરત્વે યુએન ડીકેઇડને સમર્થન આપવા માટે કરવામાં આવી છે. 1t.org વન સંરક્ષણ અને પુનઃસંગ્રહમાં ખાનગી ક્ષેત્રને જોડવા અને મહત્વાકાંક્ષાને એક કરે છે, મુખ્ય ભૌગોલિક ક્ષેત્રોમાં બહુવિધ હિસ્સેદારો વચ્ચે કોમ્યુનિકેશનની સુવિધા આપે છે અને પુનઃસ્થાપનને પ્રોત્સાહન આપવા અને વેગ આપવા માટે નવીનતા, ઇકોપ્રેન્યોરશિપ અને યુવાનોને સમર્થન આપે છે.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow