મોધવારીમાંથી રાહત, સસ્તો થશે લોટ, સરકાર ખુલ્લા બજારમાં વેચશે ઘઉં

મોધવારીમાંથી રાહત, સસ્તો થશે લોટ, સરકાર ખુલ્લા બજારમાં વેચશે ઘઉં

હાલ તમામ વસ્તુઓના ભાવ આભને આંબતા હોવાથી મોંઘવારી બોકાસો બોલાવી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે રાહત રૂપ સમાચાર સામે આવી રહ્યા છે જેમાં લોટના ભાવમાં ઘટાડો થવાની શકયતા સેવાઇ રહી છે. ફ્લોર મિલ્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, ખુલ્લા બજારમાં 30 લાખ ટન ઘઉં વેચવાના સરકારના નિર્ણયને પરિણામે ઘઉં અને લોટના ભાવમાં પ્રતિ કિલો 5 થી 6 રૂપિયાનો ઘટાડો કરવામાં આવી શકે છે.

Topic | VTV Gujarati

30 લાખ ટન ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ થશે

ઘઉં અને ઘઉંના લોટના વધતા ભાવને લઈ કેન્દ્ર સરકારે તેના બફર સ્ટોકમાંથી 30 લાખ ટન ઘઉંનું ખુલ્લા બજારમાં વેચાણ અંગે જાહેરાત કરી હતી. ખાદ્ય નિગમ દ્વારા FCI મકરફતે બે મહિનામાં ઘઉંનું વેચાણ થશે. જ્યારે ઘઉં ઈ-ઓક્શન દ્વારા જથ્થાબંધ વેપારીઓને જેમ કે લોટ મિલના માલિકોને પણ વેચવામાં આવી શકે છે. FCI ઘઉં જાહેર ક્ષેત્રના એકમો, સહકારી સંસ્થાને વેચવામા આવશે. તેને દળીને લોટ બનાવ્યા બાદ જે રૂ. 29.50માં ગ્રાહક સુધી પહોંચવો જોઈએ. ખાદ્ય નિગર ભંડારNCCF,NAFEDને રૂ.23.50 પ્રતિ કિલોના દરે વેચશે.

કોરોનાકાળમાં ઈમ્યુનિટી વધારવા માટે કયો લોટ ખાવો યોગ્ય રહેશે જાણો | Find out  which flour should be eaten to boost immunity

રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ આ નિર્ણય આવકાર્યો

આ મામલે રોલર ફ્લોર મિલર્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (RFMFI)ના પ્રમુખ પ્રમોદ કુમારે કહ્યું હતું કે, સરકારના આ પગલાને અમે આવકારીએ છીએ. આ નિર્ણય એક મહિના પહેલા જ લેવાની આવશક્યતા હતી. જેને લઈને જથ્થાબંધ અને છૂટક કિંમતો ટૂંક સમયમાં ભાવ ઘટી શકે છે. સરકારી આંકડામાં જણાવ્યા અનુસાર, મોટા શહેરોમાં અગાઉ ઘઉંની સરેરાશ કિંમત રૂ. 33.43 કિલો રાખવામાં આવી હતી. વધુમાં ગયા વર્ષે આ સમયે રૂ. 28.24 પ્રતિ કરાઈ હતી. ત્યારબાદ ઘઉંના લોટની સરેરાશ કિંમત 37.95 રૂપિયા પ્રતિ કિલો જણાઈ હતી, જે ગયા વર્ષે સમાન સમયે 31.41 રૂપિયા પ્રતિ કિલો એ પહોંચી હતી.

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow