સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી રેગ્યુલર-રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિ.માં આજથી રેગ્યુલર-રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજથી રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરું થઈ છે. જેમાં બી.એડ. સેમેસ્ટર-1ના જનરલના 3,996 જ્યારે બેઝિકના 50 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.  

આ સાથે જ એલ.એલ.બી. સેમેસ્ટર-1માં રેગ્યુલર 2,352, એમ.બી.એ. સેમેસ્ટર-1ના 62 તો બેંકિંગ એન્ડ ફાઇનાન્સના 14 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ઉપરાંત એમ.જે.એમ.સી. સેમેસ્ટર-2માં વર્ષ 2016માં નોંધાયેલા અને નાપાસ થયેલા 2 તો એમએસસી. ઈ.સી.આઈ. સેમેસ્ટર-5ના 1 વિદ્યાર્થી માટે સ્પેશિયલ પરીક્ષા લેવામાં આવી રહી છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ શહેર અને જિલ્લામાં પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે 7 કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. તેમજ ઘાયલ પક્ષીઓને શોધવા ડ્રોન કેમેરાની પણ મદદ લેવામાં આવશે.

20 જાન્યુઆરી સુધી કંટ્રોલરૂમ કાર્યરત રહેશે
ઉત્તરાયણના તહેવારને લઈને પતંગની દોરીથી ઘાયલ પક્ષીઓ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. આગામી 20 જાન્યુઆરી સુધી આ કંટ્રોલરૂમ કાર્યરત રહેશે. કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા દર વર્ષે અસંખ્ય પક્ષીઓને બચાવવામાં આવે છે. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં 7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે.

ઘાયલ પક્ષીની જાણ થતા જ ટીમ પહોંચી જશે
કોઈ પણ જગ્યાએ પક્ષી ઘાયલ થશે તો કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ તાત્કાલિક પહોંચી બચાવ કામગીરીમાં લાગી જશે. દર વર્ષે ડ્રોન કેમેરાની મદદથી પણ કરૂણાનિધિ ફાઉન્ડેશનની ટીમ દ્વારા પક્ષીઓને શોધવામાં આવે છે.

રાજકોટ શહેર-જિલ્લાના કંટ્રોલરૂમના હેલ્પલાઈન નંબર

રાજકોટ8469936128
લોધીકા9909305505
ઉપલેટા9723410072
કોટડાસાંગાણી9099080273
જેતપુર9099962062
ધોરાજી9426519761
પડધરી7990247405
ગોંડલ9904600308
જામકંડોરણા9925007207
વીંછિયા7046250225
જસદણ8200965067

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow